Thursday, September 22, 2011

BSNL NEWS By ASHOK HINDOCHA M-0942625499

www.bsnlnewsbyashokhindocha.blogspot.com
Wall Photos (95)
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.

ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં મુજ જીવનનું અર્ધ્ય રહે,
દીન દુ:ખિયાં ને ધર્મવિહોણા દેખી દિલમાં દર્દ રહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો સુખ સ્રોત વહે.

માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું,
કરું ઉપેક્ષા એ મારગની, તો યે સમતા ચિત્ત ધરું,
માનવતાની ધર્મભાવના હૈયે સૌ માનવ લાવે,
વેરઝેરના પાપ ત્યજીને મંગળ ગીતો એ ગાયે.
www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999

No comments: