Wednesday, December 28, 2011

DMIT & Multiple Intelligence Report by Parikshit Jobanputra.wmv-inf. by Ashok Hindocha Rajkot M-09426254999

Jay- Jay Jalaram Aarti [Full Song] Shree Jalaram Bapa Na Darshan-inf. by Ashok Hindocha M-09426254999



wwww.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999

www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999

Tuesday, December 27, 2011

Kanya Dan..imp. inf. by Ashok Hindocha M-09426254999

અપૂર્વ કન્યાદાન-www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999

‘શેઠ, એક અંગત વિનંતી કરવી છે.’ રાજુએ શેઠ રમેશભાઈને સંકોચપૂર્વક, જરા મોકો જોઈને હિંમત ભેગી કરીને પોતાની વાત કહી જ દીધી. રમેશભાઈએ ચશ્માં લૂછતાં-લૂછતાં રાજુ સામે તાકીને પૂછ્યું :
‘બોલ, એવી તે કેવી છે તારી અંગત વાત ?’

રાજુએ માંડીને પોતાની વાત કરી : ‘શેઠ, મારી વીસ-એકવીસ વર્ષની દીકરીની સગાઈની વાત ચાલે છે. એક વાર સગાઈ નક્કી થઈ જાય તો પછી લગ્ન માટેની વાત પાકી કરી લઈએ. એક છોકરા સાથે લગભગ ગોઠવાઈ જ જશે તેમ લાગે છે. પણ લગ્નના ખર્ચ માટે મારે ઘર ગીરવે મૂકી લોન લેવી પડશે. તમે જામીનગીરી આપો તો લોન તો મળશે જ તેમ મને બૅંક-મૅનેજરે બાંયધરી આપી છે.’
‘ગાંડો થયો છે ? લોન લીધા પછી ભરપાઈ કરતાં તૂટી જઈશ. વરસ- બે વરસમાં પાછું સીમંત આવે એટલે ખર્ચા પર ખર્ચા આવશે. તેના કરતાં તો સાદાઈથી પ્રસંગ કાઢ. જોઈ-વિચારીને ચાદર ફેલાવવી જોઈએ.’ રમેશને શેઠે સલાહ આપી.
પણ રાજુ તો રડમસ અવાજે બોલી ઊઠ્યો : ‘અમારામાં ગમે તેટલી સાદાઈથી કરો તોય થોડી સાડીઓ આપવી પડે, થોડું સોનું દેવું પડે, થોડાં સ્ટીલનાં વાસણો લઈ દેવાં પડે, થોડી પહેરામણી તેનાં સગાંઓમાં કરવી પડે. ક્યાં કરકસર કરવી તે જ સમજાય તેવું નથી.’
રમેશભાઈ બોલ્યા : ‘તું એક કામ કર. વાત પાકી કર. પછી તારી પત્ની-પુત્રી સાથે અમારે ઘેર આવજે. કૈંક રસ્તો કાઢીશું. આટલાં વર્ષોથી તું જ મારી દુકાન પોતાની હોય તેમ જ ચીવટથી ચલાવે છે.’

રાજુએ શેઠની વાત સાંભળી જગ જીત્યાનો, જંગ જીત્યાનો નશો અનુભવ્યો. તેણે વાત પાકી કરી લીધી, અને શેઠને ત્યાં પત્ની-પુત્રી સાથે પેંડા લઈ પહોંચી ગયો. રમેશભાઈ હસતા મોઢે, ખુશ થતા, મુબારકબાદી આપતા, પેંડો ખાતા-ખવડાવતા બોલ્યા :
‘જો, તારું કામ થઈ જ ગયું સમજ. અમારે બે દીકરીઓ છે, જે પરણીને પોત-પોતાને ત્યાં બાળ-બચ્ચાંઓ સાથે દોમ-દોમ સાહ્યબી ભોગવી રહી છે. તેમને આપવાનું ઘણું આપી ચૂક્યા છીએ. તેમને હવે જરૂર પણ નથી. ઊલટાની અમને મોટી ઉંમરે સાચવે તેવી છે. નોકર-ચાકર, રસોઈયા, કાર, ડ્રાઈવર બધું જ છે તેમને ત્યાં. અમારી પાસે પણ શું નથી ? કોના નસીબે આટલું કમાયા કોને ખબર ! પણ તારી આટલાં વર્ષોની એકધારી નિષ્ઠાભરી નોકરીએ જ આપણી દુકાનને દૂઝણી ગાય બનાવી છે. ત્રીસ રૂપિયાથી મારી જિંદગી મેં શરૂ કરેલી અને પાંચ રૂપિયામાં તને દસ વર્ષની ઉંમરે નોકર તરીકે રાખેલો ત્યારથી મારી-તારી મહેનત અને ઈશ્વરની કૃપાથી આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છીએ. હવે તું તો જાણે જ છે કે મારી પત્ની રેખા ગેસ ફાટવાથી સળગી ગયેલી અને હથેળીઓ, પગની પાની અને મોં સિવાય બધે જ દાઝેલ શરીરે મારા નસીબે જ જીવતી રહી છે. તે ન તો સાડી પહેરી શકે છે, કે ન કોઈ ઘરેણું શરીર પર સહન કરી શકે છે. ફક્ત પંજાબી પહેરે છે બહાર જતાં અને ઘરમાં તો માત્ર નાઈટી જ, દીકરીઓને તો ઘણુંબધું દેવાઈ ગયું છે અને હવે તેમને જરૂર પણ નથી – જોઈતું પણ નથી. તેની સાડીઓ, તેનાં ઘરેણાં બધું જ તારી દીકરીના લગ્નમાં અમે હોંશે હોંશે આપીશું – પૉલિશ કરાવી નવા જેવું જ કરીને. વર્ષોની તારી વફાદારીની કદર કરવાનો અમને તો આ મોકો મળ્યો એમ સમજીશું. અને હા, બીજી એક ખાનગી વાત, પહેલી જ વાર તને જણાવું છું.’

રાજુ તો આ બધું સાંભળી ગદગદ થઈ ગયો. તેને થયું : ‘આ વળી ખાનગી વાત શી હશે ?’
રમેશભાઈએ ઘટસ્ફોટ કરતાં કહ્યું : ‘તને ખબર ન પડે તેમ હંમેશ મેં તને મનથી નક્કી કરેલા પગારની અર્ધી જ રકમ દર મહિને આપી છે. તે જ પ્રમાણે દિવાળીમાં બૉનસ પણ અર્ધું જ આપ્યું છે. હું જાણતો હતો કે વધારે આપું તો તું વાપરી જ નાખે. જરૂરતના ટાણે તારી પાસે કોઈ બચત જ ન હોય. મેં તારું બચતખાતું મારી એક પ્લાસ્ટિક બૅગમાં આજ સુધી અલગ રાખ્યું છે, જેમાં હજારો રૂપિયા ભેગા થયેલા છે. તે તો તારા જ છે. લગ્નમાં લોનની જરૂર નથી. આ તારા જ પૈસા પ્રેમથી વાપરજે.’ કહી પ્લાસ્ટિક બૅગ પોતાના કબાટમાંથી તેને આપી. ‘જેટલા નીકળે એટલા તારા જ છે. ઓછા-અધૂરા પડશે તો અમે છીએ જ તારી પડખે. આનંદથી દીકરીને પરણાવ અને જમાઈને રાજી કર.’

રાજુ, તેની પત્ની અને પુત્રી ત્રણેયના ચહેરા આશ્ચર્ય અને આભારના ભાવથી ચમકી ઊઠ્યા. રાજુએ સાચા મનથી, પત્નીની સામે જોઈ તેની મૌન સંમતિ લઈ રમેશભાઈને કહ્યું :
‘ભલે શેઠ, પણ કન્યાદાન તો તમે જ આપજો.’
‘ના.’ રમેશભાઈ-રેખાબહેન બંને એક સાથે બોલી ઊઠ્યા. તેમના બંનેનું કહેવું હતું કે તેમણે તો સદભાગ્યે અને પ્રભુકૃપાથી બબ્બે દીકરીઓનું કન્યાદાન આપેલું જ છે. રાજુ અને તેની પત્નીને તો આ એક જ દીકરી છે તો તેમનો કન્યાદાન આપવાનો હક-લ્હાવો તેઓ કેવી રીતે ઝૂંટવી લે ?
‘કન્યાદાન તો તમે બન્ને જ આપશો. અમે આવીશું આશીર્વાદ આપવા, ભેટ આપવા. અમારી દીકરીઓ પણ તેમના પરિવાર સાથે જરૂર આ લગ્નમાં આનંદથી હાજરી આપશે. તેઓ બધાં પણ રાજી જ થશે. સાડીઓ અને ઘરેણાં પૉલિશ કરાવીને તારે ત્યાં અઠવાડિયામાં મોકલી દઈશું.’

એકાદ મહિનામાં જ અષાઢ સુદ બીજના શુભ દિને રાજુ અને તેની પત્નીએ પુત્રીના લગ્ન હોંશે હોંશે સંપન્ન કર્યાં. રમેશભાઈ-રેખાબહેને પોતે જ કન્યાદાન આપતાં હોય તેવો આનંદ અનુભવતાં હૃદયથી આશીર્વાદ આપ્યા. કન્યાની વિદાય વેળાએ અષાઢી વાદળીઓ અમીછાંટણાં વરસાવી રહી હતી અને સાથે સાથે દસ-દસ નેત્રો પણ હરખનાં આંસુ ટપકાવી રહ્યાં હતાં. આકાશ અને ધરતી આ અપૂર્વ કન્યાદાન જોતાં જ રહી ગયાં… બસ જોતાં જ રહી ગયાં.

www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999

Thursday, December 22, 2011

દીકરી એટલે બાપનો શ્વાસ અને વિશ્વાસ (કેળવણીના કિનારે)-inf. by Ashok Hindocha M-09426254999

દીકરી એટલે બાપનો શ્વાસ અને વિશ્વાસ (કેળવણીના કિનારે)
http://ashokhindocha.blogspot.com M-09426254999

દીકરી એટલે બાપનો શ્વાસ અને વિશ્વાસ...... દીકરો એ બાપનું રૂપ છે તો દીકરી એ બાપનું સ્વરૂપ છે. દીકરો બાપ પાસે અપેક્ષા રાખે-ક્યારેક હુકમ પણ કરે,જ્યારે દીકરી બાપને મદદ કરે. દીકરી એટલે હૂંફની ગુફા કે જેમાં બેસીને બાપ રાહતનો દમ ખેંચી શકે છે. દીકરો પણ બાપને મદદરૂપ થાય છે, પણ આ મદદરૂપ થવાના ઘણાં કારણો છે. જેમ કે દીકરાની ફરજ, દીકરા અને બાપે સાથે મળીને આર્થિક ઉપાર્જન કરીને ઘર ચલાવવું, કુટુંબ કે સમાજના સભ્યો દીકરાને ટોણો ન મારે, સમાજમાં સારા દેખાવા માટે વગેરે. પણ દીકરી બાપને મદદરૂપ થાય છે તેમાં ઉપરનું એક પણ કારણ નથી. દીકરીને બાપ પાસે કોઈ અપેક્ષા હોતી નથી. સાસરે ગયા પછી બાપને મદદરૂપ થવાની દીકરીની ફરજ નથી કે નથી સમાજ કોઈ ટોણો મારવાનો. આમ છતાં સમાજમાં એવા હજારો કુટુંબ જોવા મળે છે કે, જેમાં સાસરે રહીને પણ દીકરી બાપનો હાથ પકડતી હોય, બાપને મદદરૂપ થતી હોય. આ બાબત જ દીકરીની બાપ પ્રત્યેના પ્રેમની નિશાની છે. દીકરી સાસરે ગયા પહેલાં કે પછી પણ બાપનો સતત વિચાર કરતી હોય છે. તેની મા-બાપ સાથેની લાગણી એવી તો જોડાઈ ગઈ હોય છે કે, દીકરા વગરના બાપને કે બાપથી જુદા રહેતા દીકરાની ગેરહાજરીમાં જરૂર પડે કાંધ પણ આપે છે. જમાનો બદલાય છે, પણ દીકરીનો બાપ પ્રત્યેનો પ્રેમ એવો ને એવો જ રહે છે. આવી દીકરી ત્યારે જ જન્મતી હોય છે કે જ્યારે તમે પરભવમાં વધુ પ્રમાણમાં પુણ્ય કર્યાં હોય અને આ ભવમાં પણ તેનો સિલસિલો ચાલુ રાખ્યો હોય. ‘દીકરી એટલે સવાઈ મા.’ માના તમામ સ્વરૂપ દીકરીમાં છે. ઉપરાંત મા દીકરાનો ટેકો લેવા પ્રેમ કરે છે, જ્યારે દીકરી તો ટેકો બનવા પ્રેમ કરે છે. માટે જ દીકરીને સવાઈ મા કહેવામાં સહેજ પણ ખોટું નથી. કહેવત છે કે, ‘મા વિના સૂનો સંસાર’, તો કહી શકાય કે, ‘દીકરી વિના અધૂરો સંસાર.’ એટલે કે, જે બાપને માત્ર દીકરો જ છે, તેનું જીવન અધૂરું જ ગણાય. સંસારમાં રહીને સાચો પ્રેમ પારખવો હોય અને ચાખવો હોય તો દીકરીના બાપ બનવું પડે. આવા દીકરીના બાપ નસીબદાર વ્યક્તિ જ બની શકે. જેને પોતાની દીકરી નથી તે બાપે આ સંસારમાં રહીને કશુંક ખૂબ જ મોટું ગુમાવ્યું છે, પણ આ વાતનો ખ્યાલ દીકરી વિહોણા કમનસીબ બાપને નહીં આવે. તેનો અનુભવ કરવા સદ્નસીબ હોવું જોઈએ અને સદ્નસીબ બનવા દીકરીના બાપ બનવું પડે ! દીકરીને ઘડવામાં માનો ફાળો અનન્ય છે, તો બાપને ઘડવામાં દીકરીનો ફાળો અનન્ય છે. આમ જોતાં... મા વિનાની દીકરી અધૂરી છે, તો દીકરી વિનાનો બાપ અધૂરો છે. રાજા દશરથ આ રીતે અધૂરા હતા. જો તેમને એક દીકરી હોત તો રામને વનમાં જવું ન પડયું હોત. દીકરીએ દશરથને ખખડાવીને કહ્યું હોત કે, રામને વનમાં જવાની જરૂર નથી અને દશરથ રાજાની હિંમત હતી કે દીકરીના વેણને ઉથાપે ? અરે, દીકરી એ તો દીકરી છે. દુનિયાના કોઈ પણ બાપને ખખડાવવાનો અને ધાર્યું કરાવવાનો હક માત્ર દીકરીને જ છે. આ જગતની એક પણ એવી દીકરી નહીં હોય કે, જેણે તેના બાપને સાચવ્યો ન હોય. પોતે ઉંમરમાં નાની હોય છે, પણ સમજમાં મોટી હોય છે. પોતે ભૂખી રહીને બાપને પહેલાં ખવડાવનાર આ દીકરી પાછળ લાખો રૂપિયાનો કરિયાવર પણ નાનો જ પડે. પોતાની મનગમતી વાનગી ખાવા બેસનાર દીકરી સૌ પહેલાં માને પૂછે છે કે, પપ્પા માટે આ વાનગી રાખી છે ને ? રાત્રે પોતે પથારીમાં સૂઈ જઈને બાપને પલંગ કે ખાટલામાં સૂવાડતી આ દીકરીનો ઓરતો કયા બાપને ન આવે ? અડધી રાત્રે ઊઠીને પણ પપ્પા ઓઢીને સૂઈ ગયા છે કે કેમ તેની ખાતરી કરતાં કોઈ દીકરીની ઊંઘ ઊડી ગઈ હોય તેવું આજદિન સુધી સાંભળ્યું નથી. દીકરી પોતાના ખર્ચમાં કાપ મૂકીને બાપની આવકમાં ઘર ચલાવવામાં માને મદદ કરતી હોય છે, જેથી બાપ હળવાશથી સૂઈ જાય. બાપના દરેક સવાલનો તેની પાસે એક જ જવાબ હોય છે, “ચાલશે, ભાવશે અને ફાવશે.” ક્યારેય કોઈ માગણી નહીં,માત્ર લાગણી જ. સતત લાગણીથી નીતરતી દીકરી સાથે એક જ થાળીમાં ખાવાનું દરેક બાપના નસીબમાં નથી હોતું. જો દીકરી મોટી થયા પછી તેની સાથે એક થાળીમાં ખાય તો તે સંભારણું બની જતું હોય છે. બાપ જ્યાં વાપરવાનું કહેતો હોય છે, ત્યાં દીકરી બચાવવાનું કહેતી હોય છે. બાપના ખર્ચ પર સૌથી વધારે કાપ મૂકવાની શરૂઆત દીકરી તરફથી જ થતી હોય છે અને બાપ માટે કોઈ વસ્તુ લાવવાની શરૂઆત પણ દીકરી તરફથી જ થતી હોય છે. બીમારીમાં સપડાયેલ બાપની ચાકરી માટે જ દીકરીનું સર્જન થયું હશે તેમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી જ. એક દીકરા માટે મા જેટલું કરી શકે તેના કરતાં પણ ઓછા સમયમાં દીકરી વધુ કરી જાય છે. મા સાથે દીકરો સાઠ-સિત્તેર વર્ષ રહે છે, જ્યારે બાપ સાથે દીકરી એકવીસથી પચીસ વર્ષ રહે છે. છતાં માના મનમાં દીકરા માટે જેટલા આદર, ભાવના, લાગણી હોય છે તેટલી જ કે તેનાથી પણ વધારે માંડ પચીસ વર્ષ રહેતી દીકરીના મનમાં બાપ માટે હોય છે. તે જ દીકરીની ખરી ખાનદાની છે. બાપને સાચવવામાં અવ્વલ રહેતી દીકરી જરૂર પડે તો બાપને ખખડાવવામાં પણ અવ્વલ રહે છે. કોઈ પણ કુટુંબમાં બાપને ખખડાવવાનો અધિકાર મોટાભાગે દીકરી પાસે જ હોય છે. ચૂપ થાઓ તેમ બાપને ઘરમાં માત્ર દીકરી જ કહી શકતી હોય છે. છતાં બાપની તાકાત નથી કે, તે દીકરીની સામે ગુસ્સાથી બોલી શકે. આ બાબત જ દીકરીને સવાઈ કરે છે. આ દુનિયાનો જે બાપ દીકરીથી ખખડયો ન હોય તેણે ઘણું ગુમાવ્યું છે. એટલું જ નહીં, આવા બાપને લાગણી એટલે શું તે અનુભવવામાં સમય લાગશે. ઓફિસમાં સેવકો કે કર્મચારીને ખખડાવતો બાપ નાની છોકરી સામે ચૂપ કેમ રહે છે ? આટલું જ વિચારજો અને જવાબ શોધજો એટલે દીકરી અને બાપ વચ્ચેનો સંબંધ કેટલો ઊંડો હોય છે તેનું જ્ઞાાન આવશે. અને હા... જો અનુભવ લેવો હોય તો દીકરીના બાપ બનવું પડે અને દીકરીથી ખખડવું પડે. ઘરમાં બાપને ખખડાવતી દીકરી બીજા દ્વારા બાપને ખખડવા નથી દેતી તે તેની વિશેષતા છે. પોતાના બાપ વિરુદ્ધનું એક પણ વાક્ય સાંભળવા દીકરી ક્યારેય તૈયાર હોતી નથી. તેના મતે તો મારો બાપ જ સાચો અને સર્વશ્રેષ્ઠ. સુખી બાપની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય ? જવાબ સરળ જ છે. જેની દીકરી સુખી તે બાપ સુખી. તેનાથી ઊલટું પણ એટલું જ સાચું છે કે, જેની દીકરી દુઃખી તેનો કરોડપતિ બાપ પણ દુઃખી. દીકરી બાપને ઘરે-પિયરમાં હોય ત્યારે એક કહેવત છે : “દીકરી એટલે પારકી થાપણ.” આ કહેવત પાછળનો ભાવાર્થ આપ સૌ જાણો જ છો. આ દીકરી જ્યારે સાસરે જાય ત્યારે કેટલાંક સાસરિયાં તેને ‘પારકી જણી’ પણ કહેતાં હોય છે. આમ દીકરી મારી છે એમ કહેનાર કોઈ જ નહીં. કેવો લુચ્ચો સમાજ ! હકીકતમાં દીકરી એ તો બાપનો શ્વાસ અને વિશ્વાસ છે. બાપ દીકરી પર જેટલો વિશ્વાસ મૂકે છે તેટલો વિશ્વાસ પોતાના દીકરા કે પોતાની પત્ની પર નથી મૂકી શકતો. દીકરી વગરના કમનસીબ બાપને દસ મિનિટ માટે સદ્નસીબ બનવા માટેની એક ચાવી... કોઈની પણ દીકરીને સાસરે વળાવવામાં આવતી હોય ત્યારે કાર કે સ્કૂટર બાજુમાં ઊભું રાખીને પણ તે દૃશ્ય જોજો. તમે આપેલી દસ મિનિટ જ નહીં, પણ તમારા દસ દિવસ સુધરી જશે. રડીને પણ હળવા થઈ શકાય ? આનંદિત થઈ શકાય ? હા... સાસરે જતી કોઈની પણ દીકરીને જોવાનો,આંસુ સાથે આનંદનો પ્રસંગ ! કેવો અમૂલ્ય પ્રસંગ. એક જ બોલથી બાપની બોલતી બંધ કરી દેતી દીકરીએ હવે સતત બીજાના જ બોલ મૌન બનીને સાંભળવાના છે. છતાં આનંદિત થઈને રડતો બાપ દીકરીને સાસરે વળાવે ત્યારનો પ્રસંગ રામાયણ કે ગીતા કરતાં સહેજ પણ ઓછો પવિત્ર નથી. આવા પવિત્ર પ્રસંગે આંસુરૂપે પડતું દરેક ટીપું ગંગાના પવિત્ર જળ જેટલું જ પવિત્ર ગણાય. આવું દરેક આંસુ અમૃત જળ કહેવાય. જેને વહેવડાવવાનો મોકો ભાગ્યશાળી વ્યક્તિને જ મળે. કેટલાક વિધાનો વિચારજો... કોઈ દીકરીએ બાપ પાસે માગ્યું નથી અને કોઈ બાપે દીકરીને ઓછું આપ્યું નથી. દીકરી ઘર છોડીને જાય ત્યારે થાપા કરે છે, કારણ તે જાણે છે બાપનો દીકરો મિલકત માટે અંગૂઠો કરશે અને મિલકત લેશે. જ્યારે દીકરી કહે છે કે, ભાઈ માત્ર અંગૂઠો જ નહીં, મારા દસેદસ આંગળાની છાપ આપું છું કે મારે મિલકત જોઈતી નથી. દીકરીને કારણે બાપ દેવાદાર બન્યો હોય તેવા ઉદાહરણ ભાગ્યે જ હશે, પણ દીકરાને કારણે ????? દીકરી એ તો બાપનું આરોગ્ય છે. માટે તો દીકરીને કાળજાનો કટકો કહ્યો છે,

દીકરાને નહીં.

Wednesday, December 14, 2011

Lohana Mahaparishad Health Committee-Future Planing for BMD-Blood Donation & Mega Medical Camp at Various Places-inf. by Dr. nitin Radia, Prakash Thakkar-Ashok Hindocha-Rajkot

http://lohanamahaparishadnews.blogspot.com
www.lohanamahaparishad.org









Mega Medical & BMD Camp was held at Paddhari(dist Rajkot)on dtd. 04-012-2011-By Lohana mahaparishad health Committee- & paddhari Lohana Mahajan. Honrable President of lohana Mahaparishad Adv. yogeshbhai Lakahani was remain Present in the above camp. Dr. Harshadbhai Khakhar, Veenaben Pandhi-Trustee of lohana Mahaparishad were also Present. shri Virendrabhai Ahiya-President of Lohana Mahajan Paddhari, shri Chandrakantbahi Pujara, Amubhai Kotak, Hansaben Ganatra, Dr. Mayank Thakkar(MD),Dr. samir mashrani(chield Specialist)Dr. Tamannaben Dasani(gynecologist)Dr. Nitin Radia(Authopedic Surgen)-chaiman Health committee, Dr. Sitanshu Pujara(paddhari)were remain Present. 50 Persons Donated Blood, 125 Persons BMD Computerised Test were Taken Free of Cost, morethan 300 hundred persons were present for Consultation for Dr. niti Radia"s-Consultation. Free of Medicine was provided to Needy People,Somany Dignitaries were present in the Medical Camp. honarable Yogeshbahi Lakahani(President)appriciate the organisation. Dr. nitin Radia, Praksh Thakkar, Girish Monani and somany person Donate their Blood. Welcome Speech was given by Prafulbahi Kotak(advocate & notary Public-Paddhari)Programe Details given by Dr. Nitin Radia, Programe was conducted by Ashok Hindocha, Vote of Thanks done by Dr. sitanshu Pujara, future programe Details given by Prakash Thakkar. Dr. Harshadbahi Khakhar Given Speech & given massage of Honarable Jayantibahi Kundalia-Oresident Lohanamahajan Rajkot(due to health problem Could not present-wel wishing was given for Medical camp)Honarable Yogeshbahi Lakahani-appriciate the activities of Padadhari Lohana Mahajan-for giving entire Mahajabwadi for token of Rs.1 and appriciate the AKHANDDEEP-since last morethan 100 Years, he also Discuss regarding progress of Lohana Mahajanwadi-Padadhari- Renovation work and Representaion in lohana Mahaparishad.. Warm Welcome was given to Honarable Yogeshbahi Lakahani-President by paddhari lohana mahajan & all the Dignitaries. & Aum Shiv Shanny Pariwar Rajkot.Camp was organised very successfully.
JaY lohana mahaparishad..
Dr. Nitin Radia
Prakash Thakkar
Ashok Hindocha
Dr. sitanshu pujara
Girish Monani
& Paddhari Lohana Mahajan
http://lohanamahaparishadnews.blogspot.com
hindochaashok@gmail.com M-09426254999
hindochaashok@hotmail.com M-09426201999
drnpradia@hotmail.com m-098250 79147
LOHANA MAHAPARISHAD (Health Committee) planning for Medical /BMD Camp
Chairman- Dr. Nitin Radia Secretary:-Prakash Thakkar Treasurer: - Ashok Hindocha
Sl.NO. Name of Organising Committee Proposed date for Medical/BMD Camp/Blood Donation Camp Place for BMD/Medical Camp to be organise Remarks
(1) Raghuvanshi Social Group-Porbandar On 1-1-2012
At PORBANDER PORBANDAR By-Health Committee-Lohana Mahaparioshad & Rohit M. Lakahani & Vijay L. Majithia-Porbandar
(2) Akhil Saurashtra Raghuvir Sena-Rajkot & health committee-Lohana Mahaparishad On 22-01-2012
On Vir dada jasaraj Day
At RAJKOT Rajkot
Mega Blood Donation Camp
Target 1008 Blood Donation On Gyati BHOJAN Mahaparasad by Akhil Saurashtra Raghuvir Sena-Rajkot (Divyesh Rajdev, Yogesh Pujara & Team & all Raghuvanshi institutions & health committee-Lohana Mahaparishad-in presence of World Dignitaries& , Honrable Yogeshbahi Lakahani(President) & all
(3) Aum Shiv Shanny Pariwar Rajkot& health committee-Lohana Mahaparishad On dtd 25-01-2012-Mega Medical Camp(free of Cost) Rajkot
Shanti Niketan Society-Shanny Dev Temple Prakashbahi Thakkar-Dr. Nitin Radia-Ashok Hindocha- Girishbhai Monanai& Aum Shiv Shanny Shanny pariwar-Rajkot
(4) Lohana mahaparishad Health Committee members at Gondal & Jetpur In Jan-Feb-2012 Gondal
And
JETPUR By Gondal & Jetpur
Committee Members of Lohana Mahaparishad-Health committee
Prakash Thakkar Ashok Hindocha Dr Nitin Radia
National Secretary National Treasurer Chairman-Health Committee

Monday, November 14, 2011

Saturday, November 12, 2011

Internet & Childrens-imp. information by Ashok Hindocha M-09426254999



બાળકો અને ઈન્ટરનેટ –
www.bsnlnewsbyashokhindocha.blogspot.com

M-09426254999


આજની પેઢીનાં બાળકોના જીવનમાંથી હવે ટી.વી., ટૂ વ્હીલર, મોબાઈલ અને ઈન્ટરનેટ દૂર કરી શકાય તેમ રહ્યું નથી. આપણે આ બધી ટેકનોલોજીની બાળકો પર થતી માઠી અસરોની ગમે તેટલી ચર્ચા કરીએ પણ એમના જીવનમાં એ અનિવાર્ય દૂષણ જેવાં થઈ ગયાં છે. એટલે હવે આપણે બાળકોને ટી.વી., મોબાઈલ કે ઈન્ટરનેટથી શી રીતે બચાવવાં જોઈએ એની ચર્ચાઓ કરવાને બદલે તેઓ એમનો સંયમિત ઉપયોગ શી રીતે કરી શકે એના ઉપાયોની વાત કરવી જોઈએ.

બાળકો વિવિધ કારણોસર ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં હોય છે, જેમાં આનંદ-મનોરંજન અને પરસ્પરના સંદેશા વ્યવહારનો ઉદ્દેશ કદાચ સૌથી મોખરે છે. ઈન્ટરનેટ પર અનેક રમતો રમવાનો આનંદ લઈ શકાય છે. એના માધ્યમથી એ અનેક આધુનિક અને મનગમતાં ગીતો સાંભળતાં અને ડાઉનલોડ કરતાં હોય છે. આજકાલ ફેસબૂક જેવી સોશ્યલ નેટવર્ક વેબસાઈટથી નાનામાં નાનું બાળક અતિપરિચિત બની ગયું છે. આજના કિશોરોને કાગળ લખતાં નહીં આવડતું હોય, પણ મોબાઈલથી મેસેજ અને ઈન્ટરનેટથી ઈ-મેઈલ મોકલવાની કળામાં એ આપણા કરતાં વધારે પાવરધા બની ગયા છે. એક અંદાજ એવો છે કે આજનો યુવાન પુખ્ત વયની વ્યક્તિઓ કરતાં ઈન્ટરનેટનો ઉપયોગ સમય અને સાધન તરીકે બમણો કરતો હોય છે. આખા વિશ્વમાં ઈન્ટરનેટ માધ્યમનો સૌથી વધારે પ્રચાર એશિયા અને દક્ષિણ અમેરિકામાં થયેલો છે. આપણા દેશમાં કુલ ઈન્ટરનેટ વપરાશનો 20% હિસ્સો બાળકો ધરાવે છે એવો એક અભ્યાસ છે.

ગ્રામીણ વિસ્તારના કિશોરો પણ એમાંથી બાકાત નથી. બાળકોને આ માધ્યમ ઘરોમાં તેમજ સ્કૂલોમાં સુલભ બન્યું છે એનો આ પ્રતાપ છે. હવે આપણે એમને એનાથી બાકાત રાખી શકીએ તેમ નથી. શીખવાની પ્રવૃત્તિમાં પણ ઈન્ટરનેટ ખૂબ ઉપયોગી બન્યું છે. ઈન્ટરનેટ અવનવી માહિતીઓનો પ્રચંડ સ્ત્રોત છે. બાળકોને પુસ્તકોની દુનિયાનું હવે આકર્ષણ રહ્યું નથી. સાયબર વર્લ્ડમાં ડૂબકી મારીને ધારે તે તેઓ મેળવી શકે તેમ છે. ભય માત્ર એટલો જ છે કે ઈન્ટરનેટથી મળતી માહિતીઓની ખરાખરી કરવાની વિવેકબુદ્ધિનો હજુ એમની અંદર પૂરતો વિકાસ થયેલો હોતો નથી. એટલે એ એનાથી ગેરમાર્ગે દોરવાઈ જવાનો પૂરો સંભવ રહે છે. ઘરનાં અને સ્કૂલનાં મોટેરાંની અહીં ઘણી મોટી જવાબદારી રહે છે. ટી.વી., ચલચિત્રો અને ઈન્ટરનેટની દુનિયામાં જેનું ચિત્રણ કરવામાં આવે છે તે કાલ્પનિકતા અને વાસ્તવિકતાની વચ્ચે તફાવત બાળકો અને કિશોરો પારખી શકતાં નથી. એટલા માટે અતિશય ટી.વી. જોનાર કે ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર બાળક પોતાના સ્વ-રચિત મનોજગતમાં રાચતું થઈ જાય છે, જેનો વાસ્તવિક દુનિયા સાથે મેળ રહેતો નથી.


[ઈન્ટરનેટ બાળક માટે કેટલું હાનિકારક છે ?]

ચલચિત્રો, ટી.વી. અને ઈન્ટરનેટનાં માધ્યમોની બાળકો પર થતી સારી-માઠી અસરોનો તુલનાત્મક અભ્યાસ કરતાં એમ જોવા મળ્યું છે કે આ ત્રણે માધ્યમોમાં ઈન્ટરનેટ સૌથી ઓછું હાનિકારક છે. અને પિકચરોએ બાળકોમાં વધારે આક્રમકતા અને હિંસાનું વલણ પેદા કર્યું છે એ વાતમાં તથ્ય છે. પણ ઈન્ટરનેટ આપણે માનીએ છીએ એટલી હદે બાળકોને બગાડતું નથી. આ માધ્યમથી બાળકો સેક્સ, નશાખોરી અને ગુનાખોરીના રવાડે ચઢી જાય છે એવો મોટા ભાગના વડીલોનો ભય બેબુનિયાદ છે. આજનું બાળક ઈન્ટરનેટ પર પોર્નોગ્રાફિક વેબસાઈટો જોઈને જલદી બગડી જાય છે કે ઈન્ટરનેટ પર છાનુંમાનું નગ્ન ચિત્રો જોતું થઈ જાય છે એવી શંકા રાખવી ખોટી છે. કિશોર વયનું સંતાન એની ઉંમરના આવેગને લીધે સેક્સ બાબતમાં જે કુતૂહલ ધરાવતું હોય છે તેનો એને એના વડીલો તરફથી યોગ્ય અને બુદ્ધિગમ્ય ખુલાસો કે સમજ ન મળે ત્યારે એ કહેવાતાં બિભત્સ પુસ્તકો કે સાઈબર વિશ્વમાં પહોંચી જતું હોય છે. પણ આવાં ચિત્રો જોવાથી એને જે હાનિઓ પહોંચે છે એના કરતાં ઘણી વધારે હાનિ એને આવી ક્રિયા છાનુંમાનું કરતું જોતાં પકડી કાઢીને એના માબાપ પોતાની જે આકરી અને અસંતુલિત પ્રતિક્રિયા એના પ્રત્યે વ્યક્ત કરે છે એનાથી પહોંચતી હોય છે. જ્યારે આવું કંઈ બને ત્યારે માબાપે પહેલાં સ્વસ્થતા ધારણ કરવી જોઈએ, પોતાના આવેગ પર કાબૂ રાખવો જોઈએ અને સંતાન સાથે બેસીને સ્વસ્થ ચર્ચા કરવાનો માર્ગ અપનાવવો જોઈએ. ફરી એને આવું કૃત્ય કોઈ હિસાબે નહીં કરવાની કડક ચેતવણી આપવાથી કામ બનતું નથી, કેમ કે બાળકોની એક ખાસિયત ખાસ આપણા ધ્યાનમાં રહેવી જોઈએ કે જે કરવાની એમને ‘ના’ પાડવામાં આવે છે તેને એ ચાહીને કરતાં હોય છે. ઈન્ટરનેટનો બાળકો માટે જો કોઈ સૌથી વધારે ડર વડીલોને હોય તો એ ચેટિંગનો હોય છે. આનાથી એ કોઈ અજાણી વ્યક્તિના સંપર્કમાં આવીને સેક્સ, નશા કે ગુનાખોરીના માર્ગે ચઢી જાય એવી એના માબાપની ચિંતા સમજી શકાય છે, પણ સદનસીબે આવા કિસ્સાઓ ઘણા અપવાદરૂપ છે. ઈન્ટરનેટ પર બેઠેલા પોતાના સંતાન પર પોતાની સૂક્ષ્મ આંખ જોડેલી રાખવાથી એને માઠા અનુભવોથી બચાવી શકાય છે. પણ આવા કલ્પિત ડરથી એને ઈન્ટરનેટના વપરાશથી જ સાવ વંચિત રાખવામાં જરાપણ શાણપણ નથી.

[મા-બાપની આચારસંહિતા]

પોતાના સંતાનને ઈન્ટરનેટથી થતી હાનિઓથી બચાવવા માટે દરેક માબાપે આટલી કાળજીઓ રાખવી જોઈએ.

[1] પોતે ઈન્ટરનેટ સાક્ષર બનવું જોઈએ. માબાપને પોતાને ઈન્ટરનેટનાં ઉપયોગો અને ભયસ્થાનોની ખબર હોવી જોઈએ. બાળક સાથે બેસીને એમણે ઈન્ટરનેટની દુનિયાનો પ્રવાસ કરવો જોઈએ. એની રોમાંચકતા એની સાથે માણવી જોઈએ. આ માધ્યમનો શી રીતે સ્વસ્થ ઉપયોગ કરી શકાય છે એનું પોતાના સંતાનને તંદુરસ્ત ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. એનો ઉપયોગ કેવળ ઘરનાં મોટાઓ માટે જ મર્યાદિત બનાવીએ અને બાળકોને એનાથી વંચિત રાખીએ એ બરાબર નથી. ઘરનું વડીલ જ બાળકને ઈન્ટરનેટની હાનિઓથી માહિતગાર કરી શકે અને વખત આવે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયેલું ધ્યાનમાં આવે તો એનાથી ઉગારી શકે છે.

[2] બાળકને ઈન્ટરનેટ પર પોતાની સંપૂર્ણ ઓળખ છતી કરવાનાં ભયસ્થાન બતાવવાં જોઈએ. તેણે પોતાના ફોટા, પોતાનું સંપૂર્ણ નામ અને સરનામું, પોતાના અભ્યાસ અને શાળાની વિગતો, ફોન નંબર તેમજ અન્ય કોઈપણ વ્યક્તિગત માહિતીઓ ફેસબૂક કે અન્ય કોઈપણ સોશ્યલ નેટવર્ક સાઈટ પર કદી ન મૂકવી જોઈએ એવો એના માબાપનો આગ્રહ રહેવો જોઈએ. આનો કદીક દુરુપયોગ થઈ શકે છે.

[3] બાળક જે વેબસાઈટનો અવારનવાર કે પ્રસંગોપાત્ત ઉપયોગ કરતું હોય તેમની સાથે સંકળાયેલાં જોખમોનો એને અને આપણને ખ્યાલ હોવો જરૂરી છે. સામાન્ય રીતે બાળકો ફેસબૂક, ઓરકૂટ અને માયસ્પેસ જેવી સોશ્યલ નેટવર્કિંગ વેબસાઈટનું આકર્ષણ ધરાવતું હોય છે. આવી કોઈપણ વેબસાઈટનો ઉપયોગ તે શા માટે કરે છે, એના દ્વારા કેવા કેવા લોકોનો તે સંપર્ક કરતું કે જાળવતું હોય છે, એના પર અપલોડ કરેલી પોતાની વ્યક્તિગત માહિતી કે ફોટાનો શો દુરુપયોગ થઈ શકે છે, કેવા લોકો આ પ્રકારના સોશ્યલ નેટવર્કિંગ સાથે સંકળાયેલા હોય છે, એના ઉપયોગ સાથે સંકળાયેલી કોઈ માઠી ઘટનાઓનો વર્તમાનપત્રો કે મેગેઝિનોમાં ક્યારેય ઉલ્લેખ થાય છે ખરો ? – આ બધી બાબતો વિશે માબાપે માહિતગાર રહેવું જોઈએ. કંઈ દુર્ઘટના બને પછી તેનો વસવસો કરવો એના કરતાં અગાઉથી સાવચેતીનાં પગલાં ભરવા વધારે ઉપયોગી છે.

[4] જો કોઈ વાંધાજનક માહિતી કે ચિત્રો જણાઈ આવે તો બાળકને ખાસ સૂચના આપો કે એવા સંજોગોમાં તરત એણે કોમ્પ્યુટરને બંધ કરી દઈને એ પાનની વિગત પોતાના વડીલના ધ્યાનમાં આણવી જોઈએ. એ વેબસાઈટના ખૂલેલા પાનને આગળ જોવાના પોતાના કુતૂહલને એણે તરત ને તરત જ કોઈપણ હિસાબે દબાવી દેવું જરૂરી છે. આટલા બટનોનો ઉપયોગ બાળક માટે આપત્તિ પેદા કરી શકે છે. ઈન્ટરનેટના ઉપયોગની આટલી આચારસંહિતાનું પાલન કરાવવાનો બાળક પાસે તેના માબાપે ખાસ આગ્રહ રાખવો જોઈએ.

[5] બાળકને ઈન્ટરનેટનો નશો ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. તેને રોજના અને અઠવાડિયાના ઈન્ટરનેટના સમયનું સ્પષ્ટ બંધારણ કરી આપવું જોઈએ. એ આ બાબતમાં એની મુનસફીનો ઉપયોગ ન કરે તેનો આપણે દઢ આગ્રહ રાખવો જરૂરી છે. ઈન્ટરનેટ કે મોબાઈલ એના માટે માત્ર સમય પસાર કરવાનું રમકડંટ ન હોવું જોઈએ. એના ઈન્ટરનેટના ઉપયોગનો હેતુ પણ સ્પષ્ટ હોવો જોઈએ. એ કઈ સાઈટ ખોલે એ અને કોનો સંપર્ક કરતો હોય છે એ એણે એના માતાપિતાને પ્રમાણિકતાથી જણાવવું જોઈએ. બાળક માટે જે કંઈ નિયમો ઘડવામાં આવે તેનું તેની પાસે દઢતાથી અને સાતત્યપૂર્ણ પાલન કરાવવાની તેના માબાપે ચીવટ રાખવી જોઈએ. માબાપને સમય ન હોય અને બાળક માટે ઘડવામાં આવેલા નિયમો બાબતમાં તે ઢીલથી વર્તે તો તેનો બાળક ગેરલાભ લઈ શકે છે.

[6] કોમ્પ્યુટર બાળકના બેડરૂમમાં ન રાખતાં તે બધાં જોઈ શકે તેવા સ્થાનમાં રાખવાથી એની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં માબાપને સુગમતા રહે છે. આનાથી એને કોઈપણ પ્રવૃત્તિ છાનીમાની કરવાથી દૂર રાખી શકાય છે.

[7] બાળક સાથે નિખાલસ અને મોકળા સંબંધ રાખવા જોઈએ. માતાપિતા અને સંતાનોની વચ્ચે મુક્ત અને વિશ્વાસસભર સંવાદનું વાતાવરણ જળવાવું જોઈએ. માતાપિતાએ સંતાનોને પોતાની અપેક્ષાઓ સ્પષ્ટ જણાવવી જોઈએ. બાળક એમની આગળ પોતાની શંકાઓ ખુલ્લા દિલે વ્યક્ત કરી શકે તેવું કૌટુંબિક વાતાવરણ એને વાંધાજનક પ્રવૃત્તિઓ કરતાં કે અજાણતાં એનો ભોગ બનતાં રોકી શકે છે. પોલીસ બનીને એના પ્રત્યેક વર્તનને શંકાની નજરે જોતાં રહેવાની ચેષ્ટા કામ આવતી નથી. જો બાળકને ઈન્ટરનેટ પર કઈ વાંધાજનક જોવા મળે કે એના પર શંકા પેદા કરે તેવો કોઈ મેઈલ આવે તો આ હકીકત એના માબાપના ધ્યાનમાં આણી શકે અને એમનું માર્ગદર્શન લઈ શકે છે. આ બાબતમાં મુક્ત સંવાદ જે કામ કરી શકે છે તે છૂપી પોલીસની આંખ કરી શકતી નથી. બાળકને અણછાજતા વર્તન અને વ્યવહારોથી દૂર રાખવાની આ જ ઉત્તમ ચાવી છે.

[8] પોતાના ઘરના કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટ સિક્યુરિટી સોફટવેર નખાવવો જોઈએ. એના પર માબાપનો કંટ્રોલ રહે તેવો પ્રબંધ કરવો જોઈએ. નોર્ટન કંપની આ પ્રકારના ભરોસાપાત્ર સિક્યૂરીટી સોફટવેર પ્રોગ્રામ બનાવતી હોય છે.
.

[બાળકો માટેની આચારસંહિતા]

[1] તેમણે પોતાનું પૂરું નામ, સરનામું, ફોન નંબર, સ્કૂલની વિગતો, પોતાના માતાપિતાને લગતી માહિતી વગેરે વિગતો કોઈપણ વેબસાઈટ પર ખુલ્લી ન મૂકવી જોઈએ. પોતાના ફોટા કદી અપલોડ ન કરવા જોઈએ.

[2] જો ઓનલાઈન કંઈપણ વાંધાજનક કે શોચનીય પરિસ્થિતિમાં મુકાઈ જવાય તેવું જોવા-જાણવા મળે તો તે તરત પોતાના માતાપિતાના ધ્યાનમાં આણવું જોઈએ.

[3] પોતાના માતાપિતાની પરવાનગી સિવાય ઓનલાઈન કોઈની સાથે સંપર્ક કદી ન બનાવવો જોઈએ. પોતાની વિગતો કોઈ અજાણ્યાને પૂરી ન પાડવી જોઈએ. કોઈ સંજોગોમાં અજાણી વ્યક્તિ સાથે રૂબરૂ મુલાકાત માટે તૈયાર ન થઈ જવું જોઈએ. ઓનલાઈન વિગતમાં પોતાની જાતીયતા સ્પષ્ટ ન થાય તે પ્રકારનું પોતાનું નામ રાખવું જોઈએ. કોઈપણ વ્યક્તિ સાથે સેક્સ અને ધર્મ સંબંધી બાબતમાં ચેટિંગ કરવાનું ટાળવું જોઈએ.

[4] પોતાના કુટુંબ, મિત્ર, સમાજ, શિક્ષકો કે કોઈ જાતિ-સંપ્રદાયની વિરોધમાં ઉશ્કેરણી કરે તેવી વાંધાજનક રજૂઆત કરતી વ્યક્તિઓને ચેટિંગ કરવા કે ઓનલાઈન સંપર્ક કરવા કદી પ્રોત્સાહન નહીં આપવું જોઈએ. ધમકીના, પ્રલોભનના, જાતીય વ્યવહારના કે ઈનામી યોજનાઓના મેસેજ કે ઈ-મેઈલને કદી પ્રતિભાવ ન આપવો જોઈએ.

[5] માબાપની જાણ બહાર પોતાની વ્યક્તિગત માહિતી કે ફોટા કદી પોતાના ઓનલાઈન મિત્રને કે અજાણી વ્યક્તિને નહીં મોકલવા જોઈએ. એક અગત્યની વાત એ ધ્યાનમાં રાખવી જોઈએ કે ઓનલાઈન અજાણી વ્યક્તિઓ પોતાની સાચી હકીકત કે ઓળખ છુપાવીને તમને છેતરી શકે છે. આનાથી હંમેશાં સાવચેત રહેવું જોઈએ.

www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999

Thursday, November 10, 2011

(85) Ashok Hindocha

(85) Ashok Hindocha
Jay Jalaram.Lohana Yuvak Pragati Mandal Date of Establishment 11.11.1955
Today is 11.11.2011.
Lohanayuavak Pragati Mandal Rajkot completed 56 years & on 11.11.11 enters in 57 th Year & doing Somany Social, Religious,Cultural Activities in Rajkot.First SAMUH LAGNA Started by lohana Yuvak Pragati mandal at present up to tiil the date Total 44 th Samuh Lagna, YagnoPavit & Blood Donation Camp organi...sed successfully.Now on 26-02-2012-Sunday 45 th Samuh Lagna, Yagnopavit & Mega Blood Donation Camp will be organised in Rajkot with support of Our donors-Wel wishers.Those who are intrested to join is Samuh Lagna, Yagnopavit, Blood donation Camp, are requested to contect, Lohana Yuvak Pragati mandal office, Sanganwa Chowk Rajkot between 7.p.m. to 9.p.m Phone No..0281-2234714.All the arrangemnet will be made by Yuvak Mandal.We are Thankful to our Donors & wel wishers for continuous support & co-operation.Jay Jalaram-Ashok Hindocha-Hon.Secteraty-Lohana Yuvak Pragati Mandal-Rajkot http://lohanayuvakpragatimandal.blogspot.com/, http://ashokhindocha.blogspot.com/ M-09426254999See more

Tuesday, November 1, 2011

ja

JAY JALARAM
JALARAM JANMOSTAV SAMITI-RAJKOT
SHOBHAYATRA on 2-11-2011 at 4.. P.M
from Chaudhary High School-RAJKOT
Maha Prasad-Maha AARTI @ 8.p.m. at Panchnath Mahadev
Mandir-Rajkot Blood Donation, Camp, Jalaram Sangit Bhajan
Sandhya, Jalaram Rangoli etc
All are Most-WEL COME at RAJKOT

JAY JALARAM
www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999
Jay JALARAM.JALARAM BAPA Ni 212 Mi JANMA JAYANTI Nimite Shri JALARAM JANMOSTAV SAMITI RAJKOT DWARA AYOJIT JALARAM SHOBHA YATRA Prarambh @ 4.p.m. @ Chaudhary HighSchool. MAHA AARTI @8.p.m. at Panchnath Mahadev Mandir & Maha Prasad Nr. Panchnath Mahadev Mandir Rajkot, with Jalaram Sangit Bhajan Sandhya by Bipinbhai Vasani(sargam Orchestra)Jalaram Rangoli by Jalaram Bhakt, Blood Donation Camp @ Nr. Panchnath Temple.All Jalaram Bhakts Are Invited to Join Jalaram Shobha Yatra on 212 th Jalaram Jayanti on today @2-11-2011.-Jay JALARAM-JALARAM JANMOSTAVA SAMITI-RAJKOT-Rameshbhai Thakkar, Pravinbhai Kanabar-Bharatbhai Anadkat, Ashok Hindocha,Manishbhai Sonpal, k.D. Karia,Hasubhai Ruparelia, Navinbhai CHHAG, Mayank Paun, Hiteshbhai Popat, Ajaybhai Thakarar, Jayantibhai Rughani, Vinodbahi Popat, Kalpeshbahi Tanna, Piyushbahi Kundalia, Sidharthbhai Karia, Paragbhai Tejura, Kalpesh Popat, Jignesh Upadhyay, all the JalaramBhakts join with their Floats( Holders) with, two wheelres, four wheelers-will & make the Jalram Yatra very Religious
www.ashokhindocha.blogspot.com, www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999,hindochaashok@gmail.com
www.raghuvanshisamaj.com
All are Most Wel Come @ JALARAM SHOBA YATRA Today At 4.p.m. @ Chaudhry Highschool, Rajkot

www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-9426254999

Monday, October 24, 2011

Diwali Greetings 2011-by Ashok Hindocha M-09426254999


wishing all the Happy Deepawali & Happy New Year-Raghuvanshi Sneh Milan on 27-10-2011 at Kalavad road, Keshria Lohana Mahajan wadi Rajkot from 5.30 .p.m. to 7.30.p.m. with Musical Extra ordinary Progrrame-arranged by Rajkot Lohana Mahajan & all Raghuvanshi Institutions, all the Raghuvanshi"s are invited(with Family)for SnehMilan-& musical Progrramme.On 2nd Nov.-Wednesday JALARAM JAYANTI Will be Celebrated in RAJKOT. BIG SHOBHA YATRA By JALARAM JANMOSTAVA SAMITEE-Will be Organished from Chaudhary Highschool to Rajkot City Area & Maha AARTI- MAHA PRASAD at PANCHNATH TEMPLE-RAJKOT.All JALARAM PREMI"S Are Invited in SHOBHAYATRA-MAHAPRASHAD.KARYALAY Of JALARAM JANMOSTAV SAMITI STARTED At Kesharia Lohana Mahajan Wadi-Karan Para-Rajkot. All the Float Holders are Requested to Visit Karyalaya & contect Jalaram Janmostava Samiti Rajkot-JAY JALARAM-Ashok Hindocha M-09426254999 E-mail-hindochaashok@gmail.com, www.ashokhindocha.blogspot.com,www.bsnlnewsbyashokhindocha.blogspot.com.Jay Jalaram to All

Sunday, October 23, 2011

Thursday, October 20, 2011

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?-inf. by Ashok Hindocha Rajkot M-09426254999

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?-unknown
www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?-



માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય

સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે

નથી બોલવા માં આવતું.



કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે,

દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી

વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે.



પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે. આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?



માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છેને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.



રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા

પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?



બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી.

કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.



જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત

ને પણ ધ્યાનમાં લેવી જોઈએ.



દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે

લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.



પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે

” આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.



પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.



પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળક

ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ માં

પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.



પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.



માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનુ અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે,

વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમા�ª8



આપણાં, કેટલું, જીવનમાં, પિતાનું, મહત્વ?-
http://ashokhindocha.blogspot.com M-09426254999

Latest social News by Ashok Hindocha M-09426254999 http://lohanayuvakpragatimandal.blogspot.com


Monday, October 17, 2011

Page_3.pdf (application/pdf Object)-Lohana mahaparishad-Subhechha

Page_3.pdf (application/pdf Object)
www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999
www.akilanews.com

Friday, October 14, 2011

Blogger: lohana yuvak pragati mandal-Rajkot -9426216794-09426254999/0281-2234714(o)(7 P.M..to9P.M.) - Create Post

Blogger: lohana yuvak pragati mandal-Rajkot -9426216794-09426254999/0281-2234714(o)(7 P.M..to9P.M.) - Create Post
www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999

http://lohanayuvakpragatimandal.blogspot.com


object width="400" height="300">

http://lohanayuvakpragatimandal.blogspot.com

www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999


Tuesday, October 11, 2011

Monday, October 10, 2011

Navratri Mahotsava By Raghuvanshisamaj Rajkot-inf. by Ashok Hindocha M-09426254999

hindochaashok@gmail.com
                                              http://lohanayuvakpragatimandal.blogspot.com M-09426254999
                                              www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999 

Monday, October 3, 2011

Lohana Mahaparishad -New Office Beareres-Health committee


New Office Beareres of Lohana Mahaparishad(National Level)Health committee
Cahirman  :- Dr. Nitin P. Radia- M-098250-79147
email:-drnpradia@hotmail.com
National Secretary :- Prakashbahi Thakker -M-99257-62123
National Treasurer :- Ashok Hindocha M-09426254999
                                         M-09426201999
 hindochaashok@gmail.com
http://www.bsnlnewsbyashokhindocha.blogspot.com/

              
  
                                           New Office Beareres of Lohana Mahaparishad Health
                                                     Committee
                                           http://www.lohanamahaparishad.org/
                                           http://lohanamahaparishadnews.blogspot.com/
                                           http://www.bsnlnewsbyashokhindocha.blogspot.com/ M-09426254999