Tuesday, August 25, 2015

ધરમપુરમાં 33 વર્ષથી મિરાણી બંધુઓ દ્વારા ભૂખ્યાઓને અપાતી ભોજનની સેવા -inf by www.ashokhndocha.blogspot.com M-94262 54999ધરમપુરમાં 33 વર્ષથી મિરાણી

ધરમપુરમાં 33 વર્ષથી મિરાણી બંધુઓ
દ્વારા ભૂખ્યાઓને અપાતી ભોજનની સેવા
www.ashokhndocha.blogspot.com M-94262 54999ધરમપુરમાં 33 વર્ષથી મિરાણી બંધુઓ
દ્વારા ભૂખ્યાઓને અપાતી ભોજનની સેવા
Inline image

ધરમપુર: આજના છળ, કપટ અને સ્વાર્થી જમાનામાં છેલ્લા 33 વર્ષથી અવિરત દરીદ્ર નારાયણો તથા સરકારી હોસ્પિટલના દર્દીઓને નિ:સ્વાર્થ ભાવનાથી શહેરના જલારામ બાપાના ભકત મિરાણી બંધુઓ દ્વારા ભોજનની સેવા અપાઇ રહી છે. ધરમપુર શહેરના મનહઘાટ પાસે આવેલી ધરમશાળાની બાજુમાં ભંડારા ચલાવી દરીદ્ર નારાયણો તથા સરકારી હોસ્પિટલના દર્દીઓ મળી રોજના 200 જેટલાઓને શહેરના જલારામ બાપાના ભકત અને ઇલેકટ્રીક, ઇલેકટ્રોનિકસની દુકાન ચલાવતા મિરાણી બંધુઓ દ્વારા ભોજનની સેવા અપાઇ રહી છે. મિરાણી તરિવારના સર્વસર્વા સ્વ. ગોવિંદલાલ જે. મિરાણી હંમેશા પુત્રોને ભૂખ્યાઓ માટે ભોજનના આયોજનની ટકોર કરતા હતા. સને 1983 માં તેમના અવસાન બાદ પુત્રો દ્વારા ભૂખ્યાઓને ભોજનની સેવાની શરૂઆત થઇ હતી. આજે 33 વર્ષથી પ્રસિદ્ધિથી અળગા રહીને રોજ મોટી સંખ્યામાં મનહરઘાટ પાસે આવતા દરીદ્ર નારાયણો તથા હોસ્પિટલના દર્દીઓને ભોજનની સેવા આપે છે. ન્યાત જાત, ધર્મના ભેદભાવ વગર દરીદ્ર નારાયણો પેટ માટે ભોજન મેળવે છે. ઉનાળામાં શહેરમાં ઠંડા પાણીની પરબો શરૂ કરવામાં આવે છે. પરિવારના નિવૃત્ત શિક્ષક દ્વારા શહેરમાં રખડતા, અસ્થિરોને ભોજનની સેવા અપાય છે તેમજ પશુનોને ઘાસચારો પૂરો પાડે છે. આજના યુગમાં પ્રસિદ્ધિથી અળગા રહી રોજ ભોજનની સેવા આપતા મિરાણી બંધુઓ અન્ય માટે પ્રેરણારૂપ છે. સ્વૈચ્છીક રીતે ભૂખ્યાઓને ભોજન પૂરૂ જલારામ બાપાની કૃપાથી પડાય છે. કયારેક દાતાઓ તરફથી અનાજનું દાન મળતા ભંડારામાં મૂકી દેવાય છે. એક રસોઇયો તથા બે બહેનો ભંડારામાં સેવા આપે છે. જોકે તેમને પગાર ચૂકવવામાં આવે છે. તેઓ પણ સેવાભાવી છે. મિરાણી બંધુઓએ જણાવ્યું કે, તેમણે પ્રસિદ્ધિનો શોખ નથી. પરોપકારના કામો જલારામ બાપાની કૃપાથી થઇ રહ્યા છે. આ સેવા યજ્ઞ અવિરત ચાલતો રહે એવી મનોકામના છે.(Courtesy : Divya Bhaskar)

લોહાણા સમાજના તારલાઓનું સન્‍માન શૈલેષભાઇ ગણાત્રાને મરણોત્તર એવોર્ડ -inf by www.ashokhindocha.blogspot.com M-94262 54999

લોહાણા સમાજના તારલાઓનું સન્‍માન
શૈલેષભાઇ ગણાત્રાને મરણોત્તર એવોર્ડ
www.ashokhindocha.blogspot.com M-94262 54999

Inline image

રાજકોટઃ શહેરમાં કેન્‍દ્ર-રાજય તથા અર્ધ સરકારી સંસ્‍થામાં ફરજ બજાવતા શ્રી રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળ દ્વારા તેઓના કર્મચારીઓના સંતાનની શૈક્ષણિક તેજસ્‍વીતા સન્‍માનવા તાજેતરમાં પ્રતિભા સન્‍માન સમારંભ કેશરીયા લોહાણા મહાજન વાડી ખાતે રાજકોટ લોહાણા મહાજના પ્રમુખ, ટ્રસ્‍ટી ડો. હર્ષદભાઇ ખ્‍ખરના અધ્‍યક્ષસ્‍થાને યોજવામાં આવેલ હતો. કાર્યક્રમના મુખ્‍ય મહેમાન તરીકે દિલીપભાઇ સોમૈયા (અંકિત એસ્‍ટેટ), હસુભાઇ ભગદેવ (જલારામ ટ્રાન્‍સપોર્ટ), નયનભાઇ રાયઠઠા (વિનાયક ફુડઝ) અતિથિવિશેષ તરીકે ગૌરાંગભાઇ ઠકકર, જી.આર. રાચછ, મહેશભાઇ લાલસેતા, પરેશભાઇ દાવડા, જીતુભાઇ ગોટેચા, જીતેન્‍દ્રભાઇ નથવાણી, અશોકભાઇ રૂવાળા, બીપીનભાઇ પલાણ, દિલીપભાઇ ચંદારાણા, ધવલભાઇ ખખ્‍ખર, ડો મિહીરભાઇ તન્ના ઉપરાંત શિક્ષણ જગતના તજજ્ઞોશ્રી સી.એન. ચનાભટી સર, લલિતભાઇ ઠકરાર, વિરેન્‍દ્રભાઇકોટેચા, રમેશભાઇ પાંઉ, વિણાબેન પાંધી, ચંદ્રકાંતભાઇ તન્ના, કાશ્‍મીરાબેન નથવાણી, અશોકભાઇ કુંડલીયા, શૈલેષભાઇ ગણાત્રા, રીટાબેન કોટક, ડો. નીતિનભાઇ રાડીયા, રમેશભાઇ ચોલેરા ઉપસ્‍થિત રહ્યા હતાં. સંસ્‍થાના પ્રમુખ સુશ્રી રંજનબેન પોપટે જણાવેલ કે સમાજમાં એકતા, સંગઠન અને જાગૃતિને ઉજાગર કરવા સને ૧૯૮પની સાલમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ રઘુવંશી કર્મચારીઓની આ સંસ્‍થાની સ્‍થાપના થયેલ છે અને આજે છેલ્લા ત્રણ દાયકાથી વિવિધ ખાતામાં ફરજ બજાવતા રઘુવંશી કર્મચારી ભાઇ-બહેનો તથા તેમના પરિવારના સંતાનોની રચનાત્‍મક/સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ કરી જ્ઞાતિ ઉત્‍કર્ષના કાર્યો કરી રહેલ છે. સંસ્‍થાના મંત્રી રોહિતભાઇ જોબનપુત્રાએ પ્રાસંગિક પ્રવચન કરેલ.  સમારંભના પ્રારંભે સંસ્‍થાને મંડળના ભૂતપૂર્વ મંત્રી શૈલેષભાઇ અમુભાઇ ગણાત્રાને શ્રદ્ધાંજલી આપી તેમની સમાજની સેવા માટે મરણોત્તર એવોર્ડ અર્પણ કરી સન્‍માનવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા મંડળના સલાહકાર નવીનભાઇ ઠકકર, મનીષભાઇ સોનપાલ, રમેશભાઇ ચોલેરા, કૌશિકભાઇ કુંડલીયા, પ્રફુલભાઇ જોબનપુત્રા, હરેશભાઇ પુજારા, ભૂપેન્‍દ્ર કોટક, ભરતભાઇ પાવાગઢી, યોગેશભાઇ કોટેચા, સુનિલ શીંગાળા, કેતન કોટક, જગદીશભાઇ બલદેવ, વૃન્‍દાવન સોઢા, ભરતભાઇ રાયજાદા, મનીષભાઇ પલાણ, પ્રફુલભાઇ અભાણી, અશોકભાઇ દતાણી, જગદીશભાઇ કકકડ વિગેરએ જહેમત ઉઠાવેલ હતી. કાર્યક્રમનું સંચાલન અને સંકલન પ્રોજેકટ ચેરમેન કિરીટભાઇ કુંડલીયા, પ્રોજેકટ ડાયરેકટર શૈલેષભાઇ સોનછત્રા તથા અલ્‍પેશભાઇ મીરાણીએ કરેલ હતું.

હોસ્પિટલોમાં દરરોજ 200 ટિફીનપહોંચાડવાનો સેવા યજ્ઞ www.ashokhindocha.blogspot.com M-94262 54999

હોસ્પિટલોમાં દરરોજ 200 ટિફીનપહોંચાડવાનો સેવા યજ્ઞ 
www.ashokhindocha.blogspot.com M-94262 54999
Inline image

વલસાડ: વર્તમાન સમયે કોઇ આંસુ પાડે છે, કોઇ આસું પડાવે છે, તો કોઇ આસું લુછે છે. ત્યારે આસું લુછવાના ભગિરથ કાર્યમા સેવાકિય પ્રવૃતી દ્વારા સુવાસ ફેલાવી રહેલી વલસાડમાં રહેતી પ્રજ્ઞાબેન રાજા નામની સંવેદનશીલ મહિલા સરકારી સહાય વિના ધરમપુરની 8 હોસ્પિટલોમાં દાખલ ગરીબ દર્દીઓ માટે ભેદભાવ વિના તેમણે બનાવેલા અપના ઘરમાંથી  મફત ટિફિન સેવા ઉપલબ્ધ કરાવે છે. પ્રજ્ઞાબેનને મળતા પ્રથમતો તેઓ મોર્ડન ફેશનેબલ મહિલાજ લાગે પરતંુ તેમના કાર્યો  જાણ્યા બાદ તેમના માટે માનના લાગણી ઉદભવે છે. ટીફિન સેવાની સાથે  આદિવાસી સમાજમાં સમુહ લગ્ન, પાણીની સુવિધા, સોલાર લાઇટની સુવિધાઓ સહિતની સેવાકિય પ્રવૃતિઓ પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે.મુળ સૌરાષ્ટના ભાયાવદર ગામના પ્રજ્ઞાબેનને આજે ધરમપુર-કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોના લોકો બખુબી ઓળખે છે. લગ્ન બાદ તેઓ તેમના પતિ સાથે ધરમપુરમાં આવ્યા,અને ભાડે ઘર રાખીને તેમની જીવનને આગળ ધપાવ્યો. જોકે પરિસ્થિતી વિકટ થતા લગ્નના દાગીના વેચીને નાની દુકાન લીધી, જેમા આગળના ભાગમાં મેડિકલ સ્ટોર્સ શરૂ કર્યંુ અને પાછળ અમારૂ ધર વસાવ્યુ. તે  સમયે ધરમપુરની હોસ્પીટલોમાં દાખલ થતા ગામડાના દર્દીઓ માટે અને તેમની સાથેના પરિજનો માટે ભોજનની સુવિધા ન હોવા ઉપરાંત તેમની આર્થિક પરિસ્તથિ પણ સારી ન હોય,ભૂખ શું હોય, સમસાયાઓ શું હોય એ તેમણે અનુભવ્યંુ હતુ,તેથી તેઓ હોટેલમાથી પણ ભોજન લઇ ન શકે તેવી વાત તેમની પાસેથી જણ્યા બાદ મનોમન નકકી કર્યંુ કે બસ હવે આ લોકો માટે કઇક કરવુ છે.અને તે સમયે માત્ર એક હોસ્પીટલમા ટીફીન સેવા આપવાની શરૂઆત કરી હતી.

સ્થાપેલા જલારામ માનવ ઉત્ક્રષ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ હાલે ધરમપુરની તમામ હોસ્પીટલોમા દાખલ થતા  દર્દીઓ માટે  બંને ટાઇમ 300થી વધુ વ્યકિતઓ જમી શકે તે માટે 200 જેટલા ટિફિન મોકલવામાં આવે છે.માત્ર ટિફિન સેવા જ નહી પરતંુ, અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો પોતાના દિકરા-દિકરીના લગ્ન પૈસા વગર કરી શકતા ન હોય તેની જાણકારી મેળવ્યા બાદ તેમણે સમૂહ લગ્નની શરૂઆત કરી અને 2005થી શરૂ કરેલી સમુહલગ્ન કાર્યક્રમમા અત્યારસુધી 550થી વધુ યુવક-યુવતિના લગ્નો તેઓ કરાવી ચૂકયા છે. સમુહ લગ્નમાં આવતા દરેક દંપતિને દાગીના, મંગળસુત્ર, રાચરચીલુ પણ આપવામા આવે છે. સાથે તેમના દ્વારા એક આંચલ પ્લેગૃપ પણ ચલાવવામાં આવે છે. જેમા 88 જેટલા જરૂરિયાતમંદ બાળકો આશરો લઇ રહ્યા છે. આ સેવાના કારણે અંતરીયાળ વિસ્તારમાંથી આવતા દર્દીઓે રાહત થઇ રહી છે. વિવિધ સંસ્થાઅો, સામાજીક કાર્યકરો તથા રાજકીય કાર્યકરો આ કામગીરીે બિરદાવી રહ્યા છે. પ્રજ્ઞાબેન રાજાએ વાતચિતમાં જણાવ્યંુ કે ગરીબો અને જરૂરિયામંદોની સેવામાં મળતુ સુખ જીંદગીમાં સતત મને સેવાકિય કાર્યો કરવા પ્રેરે છે. જલારામ ટ્રસ્ટિ અને દેવેન ટ્રસ્ટનાં નેજા હેઠળ કરાતા કાર્યોની સુવાંસ ફેલાતા દાનવીરો દ્વારા પણ સહયોગ મળી રહ્યો છે. તેમણે જણાવ્યું કે મારી અંતિમ ઇચ્છા છે કે સેવાકિય પ્રવૃતિ કરતા કરતા મારી આંખો મિચાઇ.(Courtesy : Divya Bhaskar)

Wednesday, August 19, 2015

પોરબંદરમાં ઇતિહાસવિદ્‌ નરોતમ પલાણના જીવન કવન વિશેના અભિનંદન ગ્રંથનું પૂ. મોરારીબાપુના હસ્‍તે વિમોચન www.ashokhindocha.blogspot.com M-94262 54999 hindochaashok@gmail.com


પોરબંદરમાં ઇતિહાસવિદ્‌ નરોતમ પલાણના જીવન કવન વિશેના અભિનંદન ગ્રંથનું પૂ. મોરારીબાપુના હસ્‍તે વિમોચન
www.ashokhindocha.blogspot.com
M-94262 54999
hindochaashok@gmail.com

પોરબંદર :  ઇતિહાસવિદ્‌ નરોતમ પલાણના જીવન-કવન વિશેના અભિનંદન ગ્રંથ ‘શ્વેકેશી મિત્તર'નું વિમોચન પૂ. મોરારીબાપુએ કરીને જણાવેલ કે, નરોતમ પલાણ મારા માટે શ્વેતકેશી મિતર (મિત્ર) નથી પરંતુ શ્વેત કેશી પિતર (પિતા) સમાન છે. આ પુસ્‍તક ચચક પૃષ્‍ઠોનો એક દળદાર ગ્રંથ છે જેનું પ્રકાશન રાજકોટના પ્રવિણ પ્રકાશન દ્વારા સુઘડ અને સુંદર મુદ્રણકાર્ય દ્વારા થયું છે. આ ગ્રંથમાં બે વિભાગો છે. પુર્વાધ અને ઉતરાર્ધ. પુવાર્ધમાં લગભગ ત્રીસેક જેટલા લેખક મિત્ર?એ પલાણના જીવનન અને કવન વિશે લખી તેમના ઉમદા વ્‍યકિતત્‍વને વ્‍યકત કર્યુ છે. જેમાં પોરબંદરના ડો. સુરેખા શાહ, ડો. જયેન્‍દ્ર કારીઆ, પુષ્‍પાબેન જોશી, સુનીલ મોઢા, વજુભાઇ પુનાણી, ડો. બાલકૃષ્‍ણ જોશી વગેરે મિત્રોએ પલાણ સાહેબ સાથેના પોતાના અનુભવો અને લખાણો વિશે લખ્‍યું છે. આ વિભાગ ખાસ તો શૈક્ષણીક જગત માટે ખુબ જ ઉપયોગી છે. ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓમાં પલાણ સાહેબના કોઇને કોઇ પુસ્‍તકો અભ્‍યાસક્રમ સ્‍વરૂપે તેમજ ધો.૧૧ અને ધો.૧રના પાઠય પુસ્‍તકોમાં પલાણ સાહેબે લખેલા પ્રકરણો ભણાવવામાં આવે છે. ત્‍યારે શિક્ષકો અને અધ્‍યાપકોને પ્રસ્‍તૃત ગ્રંથ સંદર્ભગ્રંથ બની રહે તેવો છે.તેમની નવલકથા અને વિવેચનગ્રંથો વિશે રઘુવીર ચૌધરી, રાધેશ્‍યામ શર્મા, હરીકૃષ્‍ણ પાઠક, દક્ષા વ્‍યાસ, પ્રવિણ દરજી, નિતીન વડગામા જેવા ગુજરાતના પ્રથમ હરોળના સાહિત્‍ય સર્જકોએ પોતાના અમુલ્‍ય મંતવ્‍યો લખ્‍યા છે. આમ પ્રથમ ભાગ (પુવાર્ધ) સાહિત્‍ય રસિકો, શિક્ષકો અને અધ્‍યાપકો માટે એક મુલ્‍યવાન સંદર્ભગ્રંથ બની રહે તેવો છે. આ પુસ્‍તકના ઉતરાર્ધમાં શ્રી પલાણના પોતાના લેખો લખાણા છે. કલમ ઇતિહાસ, પુરાતત્‍વ, લોકસાહિત્‍ય, સંતસાહિત્‍ય એમ જુદા-જુદા અનેક વિષયો પર ચાલેલી છે. એમાં નવલકા, નિબંધ અને ચરિત્ર લેખોનો સમાવેશ પણ થાય છે. આ દરેક વિષયમાંથી પસંદગીના શ્રેષ્‍ઠ લેખો અહી મુકવામાં આવ્‍યા છે. જેમ કે આપણા સ્‍થાનીક અને પ્રચલીત દૈનિકપત્રો આજકાલ, ફુલછાબ, નોબત વગેરેમાં પલાણ સાહેબે સંખ્‍યાબંધ લેખો લખ્‍યા છે.

અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા ‘રઘુવંશી રમતોત્‍સવ-૨૦૧૫'નું આયોજન-inf.by Ashok Hindocha M-94262 54999

અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા ‘રઘુવંશી રમતોત્‍સવ-૨૦૧૫'નું આયોજન

inf.by Ashok Hindocha M-94262 54999
રાજકોટ : અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખશ્રી ઉમંગભાઇ ઠક્કર, વરિષ્‍ઠ ઉપપ્રમુખશ્રી ધનવાનભાઇ કોટક, દિવ્‍યેશભાઇ રાજદેવ તેમજ મહામંત્રીઓ ભગવાનભાઇ ઠક્કર બંધુ, મુકેશભાઇ ઠક્કર અને તમામ સાથી હોદેદારો દ્વારા અખિલ ગુજરાત લોહાણા સમાજના સંગઠનને મજબૂત કરવાના ધ્‍યેય સાથે સમયાંતરે વિવિધ રચનાત્‍મક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. જેના માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. રમત- ગમત સમિતિના અધ્‍યક્ષશ્રી અશોકભાઇ ગઢીયા તથા મંત્રીશ્રી અતુલભાઇ પાવાગઢીના માર્ગદર્શન હેઠળ દિવાળી વેકેશન-૨૦૧૫ દરમ્‍યાન રાજ્‍યકક્ષાના રમોત્‍સવનું આયોજન કરવામાં આવનાર છે. (સંભવિત તા.૨૨-૧૧-૨૦૧૫ તથા તા.૨૯-૧૧-૨૦૧૫) જેમાં યુવા સમિતી, શિક્ષણ સમિતી તથા છાત્રાલય સમિતિના સંયુક્‍ત ઉપક્રમે આ રમતોત્‍સવ-૨૦૧૫નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ દરમ્‍યાન વ્‍યક્‍તિગત ઇન્‍ડોર સ્‍પર્ધાઓમાં ચેસ, કેરમ, ટેબલ ટેનીસ, તથા બેડમીન્‍ટનનુ આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત ક્રિકેટ, બાસ્‍કેટ બોલ, વોલીબોલ, કબડી જેવી આઉટડોર સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું છે. આઉટડોર સ્‍પર્ધામાં સ્‍થાનીક કક્ષાએ ટીમ બનાવવા જરૂરી છે.

કોઇપણ રમતમાં ભાગ લેવા ઇચ્‍છા ધરાવતા જ્ઞાતિબંધુઓએ એક રમત દીઠ રજીસ્‍ટ્રેશન ફી રૂ. ૧૦૦ જમા કરાવવાના રહેશે. સૌ પ્રથમ આ સ્‍પર્ધાઓ સ્‍થાનિક કક્ષાએ, ત્‍યારબાદ ઝોન કક્ષાએ અને અંતમાં વિદ્યાનગર/અમદાવાદ ખાતે ફાઇનલ રાજ્‍ય કક્ષાની સ્‍પર્ધા રાખવામાં આવશે. સ્‍થાનીક કક્ષાએ વિજેતા જ્ઞાતિબંધુ/ જ્ઞાતિટીમને ઝોન કક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેવાનો રહેશે અને ઝોન કક્ષાએ જ્ઞાતિબંધુઓએ/ટીમને રાજ્‍ય કક્ષાની ‘ગ્રાન્‍ડ ફિનાલે'મા ભાગ લેવાનો રહેશે. રાજ્‍યકક્ષાએ વિજેતા સ્‍પર્ધકો તથા ટીમને સમગ્ર ગુજરાતના જ્ઞાતિશ્રેષ્‍ઠીઓ તથા જ્ઞાતિબંધુઓની ઉપસ્‍થીતીમાં પુરસ્‍કાર અર્પણ કરી સન્‍માનીત કરવામાં આવશે. આ તમામ સ્‍પર્ધાઓમાં ઉમંરના બાધ વગર આપણા સમાજના ભાઇઓ તથા બહેનો ભાગ લઇ શકે છે. ભાઇઓ તથા બહેનોને અલગ અલગ સ્‍પર્ધાઓ રમાડવામાં આવશે. સંસ્‍થા દ્વારા સ્‍થાનીક કક્ષાએ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવે તે પહેલા કાર્યાલયનો સંપર્ક કરવાથી, બેનરથી ડિઝાઇન-ઇ-મેઇલથી મોકલી આપવામાં આવશે. જે બેનર ડિઝાઇન મુજબ દરેક સંસ્‍થાઓએ સ્‍પર્ધા દરમ્‍યાન સ્‍થળે લગાડવાનું રહેશે. દરેક રમતના પ્રથમ વિજેતાને ટ્રોફી/એવોર્ડ અર્પણ કરી સન્‍માનીત કરવામાં આવશે. કોઇપણ જ્ઞાતિશ્રેષ્‍ઠી પોતાના પરીવારજનોની સ્‍મૃતીમાં ટ્રોફી માટે સ્‍પોન્‍સરશીપ આપી શકે, જેના માટે કાર્યાલયનો સંપર્ક કરવો. આ રમતોત્‍સવને પારદર્શક બનાવવા માટે દરેક ઝોનમાં કન્‍વીનરશ્રીની નિમણુંક કરવામાં આવશે. જેના માટે આ સમગ્ર આયોજન દરમ્‍યાન સક્રિય રસ લઇ શકે તેવા યુવાનો, તેમજ રમતના જાણકાર હોય તેવા સ્‍પોટસમેન, કોચની પણ અમૂલ્‍ય સેવાનો લાભ લેવાનો હોવાથી કાર્યાલયનો સંપક કરવો. કોઇપણ સ્‍પર્ધક વધારેમાં વધારે એક ઇન્‍ડોર તથા એક આઉટડોર સ્‍પર્ધામાં ભાગ લઇ શકશે. જેની નોંધ લેવી. લોહાણા સમાજના કોઇપણ રમતવીરે રાજ્‍યકક્ષા કે રાષ્‍ટ્રીય કક્ષાએ વિશેષ સિધ્‍ધી પ્રાપ્ત કરી હોય તો ફોર્મમાં તેઓ અવશ્‍ય ઉલ્લેખ કરવો. ફોર્મ સ્‍પર્ધક પાસે ભરાવીને સ્‍થાનીક મહાજનના પ્રમુખ/મંત્રીના સહી સિક્કા કરાવી અખિલ ગુજરાત સમાજના કાર્યાલય ઉપર મોકલી આપવાનું રહેશે. સંપૂર્ણ ભરેલા તથા મહાજનના સહી સિક્કા સાથેના ફોર્મ તા.૩૧-૮ પહેલા કાર્યાલય ઉપર મળી જાય તે જરૂરી છે. ત્‍યારબાદ મળેલા ફોર્મ ધ્‍યાનમાં લેવામાં આવશે ની તેમ અખિલ ગુજરાત લોહાણા સમાજના શ્રી રમેશભાઇ ગઢીયા (પ્રમુખ રમત ગમત સમિતી), શ્રી અતુલભાઇ પાવાગઢી (મંત્રીશ્રી રમત ગમત સમિતી)ની યાદીમાં જણાવાયું છે.

Thursday, July 16, 2015

જેકસન બ્રાઉન ની કલમે જીવન અંગે લખાયેલી ગાંઠે બાંધી રાખવા જેવી વાતો www.ashokhindocha.blogspot.com M-94262 54999 hindochaashok@gmail.com

જેકસન બ્રાઉન ની કલમે જીવન અંગે
લખાયેલી ગાંઠે બાંધી રાખવા જેવી વાતો
www.ashokhindocha.blogspot.com M-94262 54999   hindochaashok@gmail.com

૦૧. “કેમ છો” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ. 
૦૨. શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.
૦૩. કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.
૦૪. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
૦૫. આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.
૦૬. કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
૦૭. મહેણું ક્યારેય ન મારો.
૦૮. એક વિદેશી ભાષા શીખી લેવી સારી.
૦૯. કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.
૧૦. ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહીં.
૧૧. રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખો.
૧૨. નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.
૧૩. દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ.
૧૪. દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં.
૧૫. ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો.
૧૬. સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.
૧૭. જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
૧૮. જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
૧૯. તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
૨૦. કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો.
૨૧. ગોસિપ, નિંદા, જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.
૨૨. જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
૨૩. રવિવારે પણ થોડું કામ કરવાનું રાખો.
૨૪. પત્તા રમીને સમય વેડફો નહીં.
૨૫. રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.
૨૬. લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
૨૭. અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
૨૮. ક્યારેક હારવાની પણ તૈયારી રાખો પણ જીતવા માટે હમેશા પ્રયાસ કરો.
૨૯. મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
૩૦. ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.
૩૧. શબ્દો વાપરતી વખતે કાળજી રાખો.
૩૨. બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.
૩૩. બીજાની બુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.
૩૪. દિવસની શરુઆત કરો ત્યારે હમેશા નીચેના ૫ વાક્યો બોલો
1.    I am the BEST
2.    I can do it
3.    GOD is always with me
4.    I am a WINNER
5.    Today is my DAY.
·        

૩૫. ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.
૩૬. તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
૩૭. મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.
૩૮. ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
૩૯. શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.
૪૦. બચત કરવાની શિસ્ત પાળો.
૪૧. જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા ના કરો.
૪૨. ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો. યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.
૪૩. સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.
૪૪. કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં..
૪૫. ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.

૪૬. ઘરમાં એક સારો જોડણીકોશ વસાવો.
૪૭. વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો.
૪૮. ઘર પોષાય એટલી કિંમતનું જ લેવું.
૪૯. બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા.
૫૦. મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જ મારવાનો અને જોરદાર મારવાનો.
૫૧. ભાષણ આપતાં પહેલાં ભોજન કરવું નહીં.
૫૨. મત તો આપવો જ...
૫૩. સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ. (વાજિંત્રમા વ્હીસલનો સમાવેશ થતો નથી).
૫૪. જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.

૫૫. પાણી ને ખુબજ કરકસરથી વાપરો. ..પાણી અમૂલ્ય છે...

=========================================================================
આવા પ્રકારના લેખો  તથા  સમાચારો અને અવનવી માહીતી અમારા બ્લોગ ઉપર ઉપલબ્ધ છે..  
નીચેની લીન્ક ઉપર કલીક કરવાથી અમારા આ  બ્લોગ ની મુલાકાત લઇ શકાશે...

જેકસન બ્રાઉન ની કલમે જીવન અંગે લખાયેલી ગાંઠે બાંધી રાખવા જેવી વાતો www.ashokhindocha.blogspot.com M-94262 54999 hindochaashok@gmail.com

જેકસન બ્રાઉન ની કલમે જીવન અંગે
લખાયેલી ગાંઠે બાંધી રાખવા જેવી વાતો
www.ashokhindocha.blogspot.com M-94262 54999   hindochaashok@gmail.com

૦૧. “કેમ છો” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ. 
૦૨. શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.
૦૩. કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.
૦૪. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
૦૫. આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.
૦૬. કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
૦૭. મહેણું ક્યારેય ન મારો.
૦૮. એક વિદેશી ભાષા શીખી લેવી સારી.
૦૯. કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.
૧૦. ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહીં.
૧૧. રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખો.
૧૨. નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.
૧૩. દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ.
૧૪. દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં.
૧૫. ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો.
૧૬. સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.
૧૭. જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
૧૮. જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
૧૯. તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
૨૦. કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો.
૨૧. ગોસિપ, નિંદા, જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.
૨૨. જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
૨૩. રવિવારે પણ થોડું કામ કરવાનું રાખો.
૨૪. પત્તા રમીને સમય વેડફો નહીં.
૨૫. રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.
૨૬. લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
૨૭. અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
૨૮. ક્યારેક હારવાની પણ તૈયારી રાખો પણ જીતવા માટે હમેશા પ્રયાસ કરો.
૨૯. મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
૩૦. ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.
૩૧. શબ્દો વાપરતી વખતે કાળજી રાખો.
૩૨. બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.
૩૩. બીજાની બુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.
૩૪. દિવસની શરુઆત કરો ત્યારે હમેશા નીચેના ૫ વાક્યો બોલો
1.    I am the BEST
2.    I can do it
3.    GOD is always with me
4.    I am a WINNER
5.    Today is my DAY.
·        

૩૫. ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.
૩૬. તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
૩૭. મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.
૩૮. ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
૩૯. શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.
૪૦. બચત કરવાની શિસ્ત પાળો.
૪૧. જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા ના કરો.
૪૨. ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો. યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.
૪૩. સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.
૪૪. કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં..
૪૫. ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.

૪૬. ઘરમાં એક સારો જોડણીકોશ વસાવો.
૪૭. વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો.
૪૮. ઘર પોષાય એટલી કિંમતનું જ લેવું.
૪૯. બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા.
૫૦. મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જ મારવાનો અને જોરદાર મારવાનો.
૫૧. ભાષણ આપતાં પહેલાં ભોજન કરવું નહીં.
૫૨. મત તો આપવો જ...
૫૩. સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ. (વાજિંત્રમા વ્હીસલનો સમાવેશ થતો નથી).
૫૪. જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.

૫૫. પાણી ને ખુબજ કરકસરથી વાપરો. ..પાણી અમૂલ્ય છે...

=========================================================================
આવા પ્રકારના લેખો  તથા  સમાચારો અને અવનવી માહીતી અમારા બ્લોગ ઉપર ઉપલબ્ધ છે..  
નીચેની લીન્ક ઉપર કલીક કરવાથી અમારા આ  બ્લોગ ની મુલાકાત લઇ શકાશે...

Tuesday, June 23, 2015

LMP now proudly announces that Doordarshan, Girnar (DD – Girnar) shall be exhibiting an edited version of this film made of about 55 minutes on 23-6-2015, Tuesday at 7.00 pm (Evening – Indian Time) which shall be telecast in India and in various countries in the world. You are requested to watch this movie with family and send your response on lomap@lohanamahaparishad.org-inf. by Ashok Hindocha M-94262 54999

Dt: 20-6-2015
Dear Raghuvanshi
Jay Raghuvansh      Jay Mahaparishad

As you know Shree Lohana Mahaparishad does its best for Thalassemia Awareness to see that No Child takes Birth with the dreaded disease of “Thalassemia Major”.
As a part of this awareness program, LMP had produced a full fledged drama titled as ‘Dikri To Lagni no Chhod’ with the assistance of a team of professional artists and the same was performed in about 10 cities in India. However considering various limitations to take it to all cities in India and Abroad, it is now converted into a feature film with same title with the time lap of nearly 1.45 hours. The DVD of the film shall be distributed for free on4-7-2015 during the Madhyastha Mahasamiti Sabha at Ahmedabad.
LMP now proudly announces that Doordarshan, Girnar (DD – Girnar) shall be exhibiting an edited version of this film made of about 55 minutes on 23-6-2015, Tuesday at 7.00 pm (Evening – Indian Time) which shall be telecast in India and in various countries in the world.
You are requested to watch this movie with family and send your response on lomap@lohanamahaparishad.org
Please forward this mail without fail to all you know who want and wish that the disease of Thalassemia Major is fully eradicated.
Jay Jalaram
Himanshu Thakkar                  Jeetendra Karia         Alpesh Jobanputra
Chairman,                                 Joint Secretary          Mukesh Govani
Professional Committee                                                   Coordinators,
                                                                                    Thalassemia Awareness Cause    

Saturday, June 6, 2015

Scholarship Form of Lohana Mahaparishad-inf. by Ashok Hindocha M-94262 54999 www.ashokhindocha.blogspot.com www.lohanamahaparishadnews.blogspot.com E-mail hindochaashok@gmail.com All Raghuvanshi Students are requested to Download the Form, Read All Instuctions carefully Fillup the same &signature of President/Secretary of Concern Lohhana Mahajan is compulsory...So follow all the Instructions Accordinly


Scholarship Form of Lohana Mahaparishad-inf. by Ashok Hindocha M-94262 54999 www.ashokhindocha.blogspot.com
www.lohanamahaparishadnews.blogspot.com
 E-mail hindochaashok@gmail.com
All Raghuvanshi Students are requested to Download the Form, Read All Instuctions carefully Fillup the same &signature of President/Secretary of Concern Lohhana Mahajan is compulsory...So follow all the Instructions Accordinly
www.lohanamahaparishad.org

Thursday, June 4, 2015

Lohana Mahaparishad Scholarship Form- inf. by Ashok Hindocha M-94262 54999



www.lohanamahaparishad.org        Contect No. Ahmedabad- 079- 40322132
inf. by Ashok Hindocha M-94262 54999


LOHANA MAHAPARISHAD SCholership Form-inf. by AShok Hindocha M-94262 54999-www.lohanamahaparishad.org Contect No. Ahmedabad- 079- 40322132



www.lohanamahaparishad.org        Contect No. Ahmedabad- 079- 40322132
inf. by Ashok Hindocha M-94262 54999


Monday, May 25, 2015

લોહાણા મહાજન પ્રેરીત થેલેસેમિયા ચેકઅપ કેમ્પને જબ્બર પ્રતિસાદ www.lohanayuvakpragatimandal.blogspot.com M-94262 54999 hindochaashok@gmail.com



લોહાણા મહાજન પ્રેરીત થેલેસેમિયા ચેકઅપ કેમ્પને જબ્બર પ્રતિસાદ
www.lohanayuvakpragatimandal.blogspot.com M-94262 54999
hindochaashok@gmail.com
રાજકોટ :  થેલેસેમિયા જનજાગૃતિ અને નાબૂદી માટે રાજકોટ લોહાણા મહાજન દ્વારા થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમા રઘુવંશી સમાજના ૪૨૫ જેટલી મોટી સંખ્યામાં યુવક-યુવતીઓએ ભાગ લઈ કેમ્પને સારો પ્રતિસાદ આપ્યો હતો. થેલેસેમિયા અંગે જનજાગૃતિ ફેલાવી પહેલા થેલેસેમિયા ટેસ્ટ પછી જ સગાઈ કે લગ્નના સૂત્રને લોહાણા સમાજે ટેકો આપી નવી રાહ ચીંધી છે. લોહાણા મહાપરિષદ, રાજકોટ લોહાણા મહાજન તથા મહાજન સંલગ્ન તમામ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે શહેરમાં બે સ્થળો સાંગણવા ચોક લોહાણા મહાજનવાડી તથા કાલાવડ રોડ કેશરીયા લોહાણા મહાજન વાડી ખાતે થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન કરાયુ હતુ. આ કેમ્પમાં સમાજના ૪૨૫ યુવક-યુવતીઓએ ભાગ લઈ પોતાનું રક્ત પરીક્ષણ કરવા આપીને આયોજન સફળ કર્યુ હતુ. લોહાણા મહાપરીષદ દ્વારા શરૂ કરેલા આ અભિયાન અંતર્ગત વિવિધ શહેરોમાં આયોજન હાથ ધરાયુ છે અને સમગ્ર દેશમાં ૨૫૦૦૦ પરીક્ષણનું લક્ષ્યાંક નક્કી કરાયુ છે.


વાંકાનેરમાં રઘુવંશી સમાજ માટે આયોજીત થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પમાં ૧૬૪ લોકોનું પરીક્ષણ

વાંકાનેર તા.૨૩ : લોહાણા સમાજના યુવાન-યુવતીઓ બાળકો-સર્ગભાસ્ત્રીઓ માટે લોહાણા મહાપરિષદના સહયોગથી લોહાણા મહાજનના નેતૃત્‍વમાં દિવાનપરામાં લોહાણા મહાજન વાડીમાં થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પ યોજાયો હતો. રામચંદ્રજી તથા જલારામબાપાની તસ્‍વીર સમક્ષ પૂર્વ ધારાસભ્‍ય શ્રીમતી જયોત્‍સનાબેન જીતુભાઇ સોમાણીના હસ્‍તે દિપ પ્રાગટય કરીને કેમ્‍પને ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો. શ્રી લોહાણા મહાજન સાથે શ્રી લોહાણા યુવક મંડળ, શ્રી રઘુવંશી સોશ્‍યલ ગૃપ તથા રઘુવંશી મહિલા મંડળનાં અગ્રણીઓ અને સભ્‍યશ્રીઓએ રઘુવંશી પરિવારજનોએ ૯ થી ૧૨ વાગ્‍યા સુધીમાં ૧૬૪ લોકોએ થેલેસેમીયા ટેસ્‍ટ માટે પોતાનું બ્‍લડ આપ્‍યું હતું. થેલેસેમીયાના રોગ સામે જનજાગૃતિ લાવવા માટે લોહાણા મહાપરિષદ જ્ઞાતિજનો માટે સમગ્ર શહેરોમાં પરિક્ષણ કેમ્‍પ માટે તત્‍પરતા દાખવી છે. કેમ્‍પના પ્રારંભે લોહાણા મહાજન પ્રમુખ લાભુભાઇ જોબનપુત્રા, મંત્રી લલિતભાઇ પુજારા, લાલકૃષ્‍ણ લાલજી તથા ગોવર્ધન નાથજી હવેલીના પ્રમુખ ગુલાબરાય સુબા, લોહાણા યુવક મંડળના ઉપપ્રમુખ બટુકભાઇ બુધ્‍ધદેવ, મંત્રી ઉતમભાઇ રાજવીર, રઘુવંશી સોશ્‍યલ ગૃપના પ્રમુખ સુનીલભાઇ ખખ્‍ખર, રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી માલતીબેન શ્‍યામભાઇ કોટક, ઉષાબેન સોમાણી, જયશ્રીબેન પુજારા સહિતના બહેનો રસીકભાઇ ભીંડોરા, વિજયભાઇ પુજારા, શૈલેષભાઇ કાનાબાર, કિશોરભાઇ પુજારા, કૌશીકભાઇ સેજપાલ સહિત અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં. ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટીના કર્મચારીઓએ સેવા આપી હતી. મહાજનનાં મંત્રી લલીતભાઇ પુજારા, મહાપરિષદના મુકેશભાઇ ગોવાણીએ કેમ્‍પની સિધ્‍ધીને બીરદાવી હતી. કેમ્‍પ સ્‍થળે સવારથી જ જ્ઞાતિના યુવાનો સંજયભાઇ જોબનપુત્રા (બાબાલાલ), અમીત સેજપાલ, રાજ સોમાણી, કુંલીયા, પીયુષ ભીંડોરા સહિતના કાર્યકરો સેવામાં જોડાયા હતાં.

Saturday, May 23, 2015

www.ashokhindocha.blogspot.com M-94262 54999 વાંકાનેરમાં રઘુવંશી સમાજ માટે આયોજીત થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પમાં ૧૬૪ લોકોનું પરીક્ષણ જ્‍ય... www.ashokhindocha.blogspot.com M-94262 54999 વાંકાનેરમાં રઘુવંશી સમાજ માટે આયોજીત થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પમાં ૧૬૪ લોકોનું પરીક્ષણ જ્‍યોત્‍સનાબેન જીતુભાઇ સોમાણી, લાલુભાઇ જોબનપુત્રા સહિત આગેવાનોની ઉપસ્‍થિત

Lohanamahaparishad/Raghuvanshisamajnews: વાંકાનેરમાં રઘુવંશી સમાજ માટે આયોજીત થેલેસેમીયા ટે...: www.ashokhindocha.blogspot.com M-94262 54999 વાંકાનેરમાં રઘુવંશી સમાજ માટે આયોજીત થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પમાં ૧૬૪ લોકોનું પરીક્ષણ જ્‍ય...
www.ashokhindocha.blogspot.com M-94262 54999
વાંકાનેરમાં રઘુવંશી સમાજ માટે આયોજીત થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પમાં ૧૬૪ લોકોનું પરીક્ષણ
જ્‍યોત્‍સનાબેન જીતુભાઇ સોમાણી, લાલુભાઇ જોબનપુત્રા સહિત આગેવાનોની ઉપસ્‍થિત
વાંકાનેરમાં રઘુવંશી સમાજ માટે આયોજીત થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પમાં ૧૬૪ લોકોનું પરીક્ષણ
   વાંકાનેર તા.૨૩ : લોહાણા સમાજના યુવાન-યુવતીઓ બાળકો-સર્ગભાસ્ત્રીઓ માટે લોહાણા મહાપરિષદના સહયોગથી લોહાણા મહાજનના નેતૃત્‍વમાં દિવાનપરામાં લોહાણા મહાજન વાડીમાં થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પ યોજાયો હતો. રામચંદ્રજી તથા જલારામબાપાની તસ્‍વીર સમક્ષ પૂર્વ ધારાસભ્‍ય શ્રીમતી જયોત્‍સનાબેન જીતુભાઇ સોમાણીના હસ્‍તે દિપ પ્રાગટય કરીને કેમ્‍પને ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો.
   શ્રી લોહાણા મહાજન સાથે શ્રી લોહાણા યુવક મંડળ, શ્રી રઘુવંશી સોશ્‍યલ ગૃપ તથા રઘુવંશી મહિલા મંડળનાં અગ્રણીઓ અને સભ્‍યશ્રીઓએ રઘુવંશી પરિવારજનોએ ૯ થી ૧૨ વાગ્‍યા સુધીમાં ૧૬૪ લોકોએ થેલેસેમીયા ટેસ્‍ટ માટે પોતાનું બ્‍લડ આપ્‍યું હતું.
   થેલેસેમીયાના રોગ સામે જનજાગૃતિ લાવવા માટે લોહાણા મહાપરિષદ જ્ઞાતિજનો માટે સમગ્ર શહેરોમાં પરિક્ષણ કેમ્‍પ માટે તત્‍પરતા દાખવી છે.
   કેમ્‍પના પ્રારંભે લોહાણા મહાજન પ્રમુખ લાભુભાઇ જોબનપુત્રા, મંત્રી લલિતભાઇ પુજારા, લાલકૃષ્‍ણ લાલજી તથા ગોવર્ધન નાથજી હવેલીના પ્રમુખ ગુલાબરાય સુબા, લોહાણા યુવક મંડળના ઉપપ્રમુખ બટુકભાઇ બુધ્‍ધદેવ, મંત્રી ઉતમભાઇ રાજવીર, રઘુવંશી સોશ્‍યલ ગૃપના પ્રમુખ સુનીલભાઇ ખખ્‍ખર, રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી માલતીબેન શ્‍યામભાઇ કોટક, ઉષાબેન સોમાણી, જયશ્રીબેન પુજારા સહિતના બહેનો રસીકભાઇ ભીંડોરા, વિજયભાઇ પુજારા, શૈલેષભાઇ કાનાબાર, કિશોરભાઇ પુજારા, કૌશીકભાઇ સેજપાલ સહિત અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.
   ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટીના કર્મચારીઓએ સેવા આપી હતી. મહાજનનાં મંત્રી લલીતભાઇ પુજારા, મહાપરિષદના મુકેશભાઇ ગોવાણીએ કેમ્‍પની સિધ્‍ધીને બીરદાવી હતી.
   કેમ્‍પ સ્‍થળે સવારથી જ જ્ઞાતિના યુવાનો સંજયભાઇ જોબનપુત્રા (બાબાલાલ), અમીત સેજપાલ, રાજ સોમાણી, કુંલીયા, પીયુષ ભીંડોરા સહિતના કાર્યકરો સેવામાં જોડાયા હતાં.
 (01:30 pm IST)
 
Share This News
Facebook
Twitter
Share on Google+
Blogger
 

વાંકાનેરમાં રઘુવંશી સમાજ માટે આયોજીત થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પમાં ૧૬૪ લોકોનું પરીક્ષણ જ્‍યોત્‍સનાબેન જીતુભાઇ સોમાણી, લાલુભાઇ જોબનપુત્રા સહિત આગેવાનોની ઉપસ્‍થિત-inf. by Ashok Hindocha M-94262 54999

www.ashokhindocha.blogspot.com M-94262 54999
વાંકાનેરમાં રઘુવંશી સમાજ માટે આયોજીત થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પમાં ૧૬૪ લોકોનું પરીક્ષણ
જ્‍યોત્‍સનાબેન જીતુભાઇ સોમાણી, લાલુભાઇ જોબનપુત્રા સહિત આગેવાનોની ઉપસ્‍થિત
વાંકાનેરમાં રઘુવંશી સમાજ માટે આયોજીત થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પમાં ૧૬૪ લોકોનું પરીક્ષણ
   વાંકાનેર તા.૨૩ : લોહાણા સમાજના યુવાન-યુવતીઓ બાળકો-સર્ગભાસ્ત્રીઓ માટે લોહાણા મહાપરિષદના સહયોગથી લોહાણા મહાજનના નેતૃત્‍વમાં દિવાનપરામાં લોહાણા મહાજન વાડીમાં થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પ યોજાયો હતો. રામચંદ્રજી તથા જલારામબાપાની તસ્‍વીર સમક્ષ પૂર્વ ધારાસભ્‍ય શ્રીમતી જયોત્‍સનાબેન જીતુભાઇ સોમાણીના હસ્‍તે દિપ પ્રાગટય કરીને કેમ્‍પને ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો.
   શ્રી લોહાણા મહાજન સાથે શ્રી લોહાણા યુવક મંડળ, શ્રી રઘુવંશી સોશ્‍યલ ગૃપ તથા રઘુવંશી મહિલા મંડળનાં અગ્રણીઓ અને સભ્‍યશ્રીઓએ રઘુવંશી પરિવારજનોએ ૯ થી ૧૨ વાગ્‍યા સુધીમાં ૧૬૪ લોકોએ થેલેસેમીયા ટેસ્‍ટ માટે પોતાનું બ્‍લડ આપ્‍યું હતું.
   થેલેસેમીયાના રોગ સામે જનજાગૃતિ લાવવા માટે લોહાણા મહાપરિષદ જ્ઞાતિજનો માટે સમગ્ર શહેરોમાં પરિક્ષણ કેમ્‍પ માટે તત્‍પરતા દાખવી છે.
   કેમ્‍પના પ્રારંભે લોહાણા મહાજન પ્રમુખ લાભુભાઇ જોબનપુત્રા, મંત્રી લલિતભાઇ પુજારા, લાલકૃષ્‍ણ લાલજી તથા ગોવર્ધન નાથજી હવેલીના પ્રમુખ ગુલાબરાય સુબા, લોહાણા યુવક મંડળના ઉપપ્રમુખ બટુકભાઇ બુધ્‍ધદેવ, મંત્રી ઉતમભાઇ રાજવીર, રઘુવંશી સોશ્‍યલ ગૃપના પ્રમુખ સુનીલભાઇ ખખ્‍ખર, રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી માલતીબેન શ્‍યામભાઇ કોટક, ઉષાબેન સોમાણી, જયશ્રીબેન પુજારા સહિતના બહેનો રસીકભાઇ ભીંડોરા, વિજયભાઇ પુજારા, શૈલેષભાઇ કાનાબાર, કિશોરભાઇ પુજારા, કૌશીકભાઇ સેજપાલ સહિત અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.
   ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટીના કર્મચારીઓએ સેવા આપી હતી. મહાજનનાં મંત્રી લલીતભાઇ પુજારા, મહાપરિષદના મુકેશભાઇ ગોવાણીએ કેમ્‍પની સિધ્‍ધીને બીરદાવી હતી.
   કેમ્‍પ સ્‍થળે સવારથી જ જ્ઞાતિના યુવાનો સંજયભાઇ જોબનપુત્રા (બાબાલાલ), અમીત સેજપાલ, રાજ સોમાણી, કુંલીયા, પીયુષ ભીંડોરા સહિતના કાર્યકરો સેવામાં જોડાયા હતાં.
 (01:30 pm IST)
 
Share This News
Facebook
Twitter
Share on Google+
Blogger
 

સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ ભયજનક હદે કેમ વધી રહ્યું છે..?

સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ
ભયજનક હદે કેમ વધી રહ્યું છે..?

- સંજય વોરા


દુનિયામાં જેટલાં પણ લગ્ન થાય છે, તેમાંના ૨૦ ટકા છૂટાછેડામાં પરિણમે છે  અમેરિકામાં થતાં ૫૦ ટકા અને જાપાનમાં થતાં ૩૨ ટકા લગ્નો છૂટાછેડામાં પરિણમે છે. ભારતમાં ઇ.સ. ૧૯૭૪ની સાલમાં છૂટાછેડાનું પ્રમાણ ૩ થી ૪ ટકા હતું જે આજે વધીને ૧૩ થી ૧૪ ટકા ઉપર પહોંચી ગયું છે. આજે કોઇ પણ ફેમિલી કોર્ટમાં જઇએ તો છૂટાછેડા વિષયક કેસોનો ખડકલો જોવા મળે છે તેમાંના મોટા ભાગના કેસો આંતરજ્ઞાતિય અને આંતરજાતિય લગ્નોને લગતા હોય છે. જે પતિ - પત્ની બંને નોકરી-વ્યવસાય કરતા હોય તેમની અંદર પણ છૂટાછેડાનું પ્રમાણ વધુ જોવા મળે છે તેનું કારણ એ છે કે આર્ય સંસ્કૃતિની લગ્ન માટેની જે આચારસંહિતા છે તે પતિ - પત્ની બંનેના હિતમાં છે આજે આપણા સમાજમાં આ આચારસંહિતાનો ભંગ કરવામાં આવતો હોવાથી લગ્નો નિષ્ફળ જવાની સંભાવના વધતી જાય છે અને છૂટાછેડાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જૂના જમાનામાં માતાપિતા કુળ, સંસ્કાર, ખાનદાની અને કુટુંબ જોઇને કન્યા - મૂરતિયાની સગાઇ કરી દેતા હતા લગ્ન પહેલાં પતિ - પત્ની એકબીજાનું મોંઢું પણ જોઇ શકતા નહીં  આજે કન્યા અને મૂરતિયા વચ્ચે અનેક મિટિંગો કરીને સગાઇ કરવામાં આવે છે  તેમ છતાં આજે જેટલાં લગ્ન નિષ્ફળ જાય છે એટલાં લગ્નો તે કાળમાં નિષ્ફળ જતા નહોતા આજે યુવક યુવતીઓ કોલેજમાં અને હવે તો સ્કૂલમાં ભણતા હોય ત્યારે એકબીજાના પ્રેમમાં પડે છે અને લગ્ન કરવાનાં વચનો આપી દે છે. આજની નવી પેઢી પ્રેમમાં પડવા માટે કુળ, જાતિ, સંસ્કાર, ધર્મ વગેરે કાંઇ નથી જોતી તેઓ જેને પ્રેમ માને છે તે પણ હકીકતમાં મોહ અથવા શારીરિક આકર્ષણ હોય છે. માતા પિતાની મરજીથી ઉપરવટ જઇને તેઓ પરણે છે લગ્નના પહેલા જ દિવસથી તેમનો મોહ ઓસરી જાય છે બીજા છ મહિનામાં શારીરિક આકર્ષણ પણ ઘટવા લાગે છે ત્યાર પછી જીવનની વાસ્તવિકતાઓનો સામનો કરવામાં આવે ત્યારે ધર્મ, સંસ્કાર, સ્વભાવ, ખાનદાની અને સામાજીક દરજ્જાની વાસ્તવિકતાઓ સમજાય છે જેને કારણે વિસંવાદ પેદા થાય છે  આ વિસંવાદનો કોઇ ઉકેલ ન મળતાં છેવટે આવાં લગ્નો છૂટાછેડામાં પરિણમે છે.

પતિ અને પત્ની લગ્ન કરીને સંસાર માંડે તે પછી કોઇ સમસ્યા પેદા થાય તો બધાં પતિ - પત્ની છૂટાછેડા લેવા માટે ફેમિલી કોર્ટમાં નથી પહોંચી જતા. આવું આત્યંતિક પગલું ૧૦૦ માં થી ૨૦ યુગલો લે છે બાકીના ૮૦ પૈકી ૨૦ યુગલો સતત સંઘર્ષ કરતાં જીવે છે પણ છૂટાછેડા લેવા તૈયાર નથી થતા તેમનું લગ્નજીવન તો દુ:ખી જ હોય છે  બાકીના ૬૦ પૈકી ૨૦ યુગલો એક છત હેઠળ જીવતા હોવા છતાં અજનબીની જેમ જીવે છે પણ છૂટાછેડા નથી લેતા તેમણે માનસિક દૃષ્ટિએ એકબીજા સાથે છૂટાછેડા લઇ લીધા હોય છે પણ સંતાનોનું ભવિષ્ય ન બગડે એમ સમજીને તેઓ ભેગા રહેતા હોય છે. બાકીના ૪૦ ટકા પૈકી ૨૦ ટકામાં સ્ત્રી - પુરુષ વચ્ચે પ્રેમ અને લાગણીના સંબંધો નથી હોતા પણ તેઓ સગવડિયા લગ્નને ટકાવી રાખે છે અને પરાણે હસતું મોંઢું રાખીને જીવે છે. આજના કાળમાં આપણા સમાજમાં જેઓ સાચા અર્થમાં સુખી હોય અને એકબીજાના સુખદુ:ખના સાથી બનીને રહેતા હોય તેવા પતિ-પત્નીની સંખ્યા ૨૦ ટકાથી વધુ નહીં હોય કોઇ પણ ભિન્ન જાતિ, ધર્મ, પરંપરા, સંસ્કાર અને રીતરિવાજો ધરાવતા સ્ત્રી - પુરુષ લગ્ન કરીને સંસાર માંડે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે ધર્મ વગેરેની ભિન્નતાને કારણે અપરંપાર સમસ્યાઓ પેદા થાય છે યુવતી ચુસ્ત શાકાહારી પરિવારમાં મોટી થઇ હોય અને તેને સાસરે માંસાહારી વાનગીઓ રાંધવાની ફરજ પાડવામાં આવે ત્યારે તેને ઘર છોડીને ભાગી જવાની ઇચ્છા થઇ આવે છે. જૈન ધર્મ પાળતી કન્યા વૈષ્ણવ યુવક સાથે પ્રેમલગ્ન કરે અને પર્યુષણમાં પણ તેને વ્યાખ્યાન સાંભળવા જવા દેવામાં ન આવે ત્યારે તેને પોતાના ધર્મમાં લગ્ન કરવાનું મહત્ત્વ સમજાય છે. કચ્છની એક જૈન કન્યા પટેલના ઘરે પરણીને ગઇ ત્યારે તેને ચૂલો ફૂંકવાની અને વાસીદું વાળવાની ફરજ પાડવામાં આવી હતી લગ્નના છ જ મહિનામાં તે પિયર પાછી આવી ગઇ હતી  સ્ત્રી - પુરુષ જ્યારે પ્રેમમાં હોય ત્યારે તેમને આ સમસ્યાઓની ગંભીરતા સમજાતી નથી પણ ગૃહસ્થાશ્રમના અનુભવથી ખ્યાલ આવે છે કે પોતાની જ્ઞાતિમાં અને પોતાના ધર્મમાં પરણવાના કેટલા ફાયદા છે. આ કારણે જ આજે પણ પ્રેમલગ્નો કરતાં માબાપે ગોઠવેલાં લગ્ન વધુ સફળ થતાં જોવા મળે છે હવે તો યુવક યુવતીઓમાં જાણે એરેન્જ્ડ મેરેજનો પવન ફૂંકાતો જોવા મળે છે.

આજની વિચિત્ર સામાજીક પરિસ્થિતિને કારણે લગ્નજીવનમાં અનેક સમસ્યાઓ પેદા થાય છે જે ભંગાણ તરફ દોરી જાય છે આવું ન બને તે માટે લગ્નૈચ્છુક કન્યા  -મૂરતિયાઓએ અને તેમના વડીલાએ લગ્ન અગાઉ જ અમુક વસ્તુઓની ચોકસાઇ કરી લેવી જોઇએ જેથી પાછળથી પસ્તાવાનો વારો ન આવે લગ્ન અગાઉ દરેક મૂરતિયાએ પોતાની ભવિષ્યની પત્નીને નિખાલસતાથી પૂછી લેવું જોઇએ કે તે લગ્ન પછી સંયુક્ત પરિવારમાં રહેવા માંગે છે કે અલગ થવા માંગે છે..? આજની આધુનિક કન્યાઓને સાસુ - સસરાની સેવા કરવી નથી હોતી અને તેમની મર્યાદાઓ પણ જાળવવી નથી હોતી આ કારણે તેઓ લગ્ન અગાઉથી જ સ્વતંત્ર થવાની યોજના ઘડી ચૂકી હોય છે પણ આ વાતની જાણ પોતાના ભાવિ પતિને કરતી નથી લગ્નના થોડા મહિનામાં જ તે પોતાની ઇચ્છા પ્રગટ કરે છે અને ઘરમાં ઝઘડાઓ થાય છે. કન્યા જો લગ્ન પહેલા નોકરી કરતી હોય અથવા સારી કારકિર્દીમાં સ્થિર થયેલી હોય તો લગ્ન પછી આ નોકરીનું અને કારકિર્દીનું શું કરવું।.??  તેની ચોખવટ પણ અગાઉથી જ કરી લેવી જોઇએ આજની યુવતીઓ પોતાની નોકરીને અને આર્થિક સ્વતંત્રતાને પતિ અને લગ્નજીવન કરતાં પણ વધુ પ્રેમ કરતી હોય છે  તેઓ એવું માનીને પરણતી હોય છે કે લગ્ન પછી પણ તેને પોતાની નોકરી ચાલુ રાખવાની છૂટ આપવામાં આવશે સાસરાના નીતિનિયમો મુજબ આ છૂટ આપવામાં ન આવે ત્યારે ઘરમાં સંઘર્ષનાં બીજ રોપાતાં હોય છે અને મામલો છેવટે છૂટાછેડા સુધી પહોંચી જતો હોય છે. ઘણા પરિવારોમાં બે છેડા ભેગા કરવા માટે ઘરની વહુને નોકરી કરવાની ફરજ પાડવામાં આવતી હોય છે નોકરી કરતી યુવતીઓ પોતાનાં ઘરની અને બાળકોની વ્યવસ્થિત કાળજી રાખી શકતી નથી તેઓ ઓફિસે હોય ત્યારે તેમને ઘરની ચિંતા સતાવે છે અને ઘરે હોય ત્યારે ઓફિસનું ટેન્શન હોય છે પત્નીની જવાબદારી પતિ ઉપર આવી જાય છે પતિની આ કાર્ય કરવાની માનસિક તૈયારી નથી હોતી જેને કારણે સંઘર્ષ થાય છે અને મામલો છૂટાછેડા સુધી પહોંચી જાય છે  લગ્નજીવનમાં જો સુખી થવું હોય તો સ્ત્રીએ લગ્ન પછી નોકરી કરવાનો આગ્રહ છોડી દેવો જોઇએ...

આજની આપણી વિષમ આર્થિક અને સામાજીક પરિસ્થિતિને કારણે લગ્ન કરીને સાસરે જતી સ્ત્રીઓના માથે પોતાનાં વૃદ્ધ માતા પિતાની સારસંભાળની જવાબદારી પણ આવી પડે છે જે પરિવારોમાં પુત્રો નથી હોતા અને માત્ર દીકરીઓ જ હોય છે  તેમાં આવું ખાસ બને છે ઘણી વખત પુત્રો હોય છે પણ તેઓ પોતાનાં માતાપિતાની જવાબદારી નિભાવવાની ક્ષમતા કે દાનત ધરાવતા નથી હોતા જેને કારણે પરિણીત પુત્રીઓ ઉપર આ જવાબદારી આવી પડે છે પુત્રીઓ પોતે સાસરામાં સુખી હોય અને તેમને પોતાનાં માબાપ માટે લાગણી હોય એટલે તેમને માબાપને આર્થિક મદદ કરવાની ઇચ્છા થઇ આવે છે પણ તેને કારણે તેના ઘરમાં વિસંવાદ પેદા થાય છે. સંયુક્ત પરિવારમાં ઘરની વહુ આ રીતે પોતાના પિયરના સગાને આર્થિક મદદ કર્યા કરે તે ઘણા સભ્યોને ગમતું નથી વિભક્ત પરિવારમાં પતિની કમાણી ઓછી હોય અથવા તેનામાં ઉદારતાનો અભાવ હોય તો તે પોતાની પત્નીને રોકે છે જેને કારણે ઘરમાં ઝઘડાઓ થાય છે તેમાં પણ સ્ત્રી જો નોકરી કરતી હોય તો તે પોતાની આવકમાંથી મા બાપનું ભરણપોષણ કરવાની કોશિશ કરે છે જેને કારણે પણ સંઘર્ષ થાય છે. આ બાબતમાં પતિ - પત્ની પરસ્પર સમજણથી અને વિશ્ર્વાસથી કામ લે તે બહુ જરૂરી છે જૂના જમાના માં મા બાપે પરણેલી પુત્રીના ઘરનું પાણી પણ પીવું નહીં, એવો જે રિવાજ હતો એ આ પ્રકારના સંઘર્ષને ટાળવા માટે જ હતો..

આજે લગ્નજીવનમાં ખટરાગ વધી રહ્યો છે તેનું એક કારણ સ્ત્રીઓના મગજમાં સવાર થઇ ગયેલો સંદિગ્ધ સ્વતંત્રતાનો નશો છે આજની સ્ત્રી એમ માને છે કે તે નોકરી કરે અને તેની પોતાની આવક હોય તો જ તે સ્વતંત્ર બની શકે નોકરી કરતી અને પોતાની સ્વતંત્ર આવક ધરાવતી સ્ત્રીઓ એમ માનવા લાગે છે કે તેઓ પોતાની પારિવારિક જવાબદારી ન નિભાવે તો પણ ચાલી શકશે  સ્ત્રી આર્થિક દૃષ્ટિએ પગભર બની જાય એટલે તેનામાં એક પ્રકારનો અહંકાર આવી જાય છે.હકીકતમાં નોકરી કરતી સ્ત્રી સ્વતંત્ર નથી બનતી પણ તેના બોસની ગુલામ બની જાય છે જેને કારણે પતિનું સ્વમાન ઘવાય છે અને પતિ - પત્નીના ઝઘડાઓ જન્મ ધારણ કરે છે. હકીકતમાં ઘરમાં રહેતી ગૃહિણી જેટલી સ્વતંત્ર છે એટલી નોકરી કરતી મહિલા સ્વતંત્ર નથી. પરણેલી સ્ત્રીઓ જો આ સ્ત્રી સમાનતાની ખોટી ધારણામાંથી બહાર આવે તો ઘણાં લગ્નજીવન બચી જાય તેમ છે. ગૃહસ્થાશ્રમમાં સુખી થવા માટે અને શાંતિથી જીવવા માટે જેમ નીતિની કમાણીની જરૂર છે તેમ લગ્નજીવનમાં પણ સ્થિરતા અને સંતોષની આવશ્યકતા છે. કોઇ માણસ પાસે અબજો રૂપિયાની સંપત્તિ હોય પણ તેનું લગ્નજીવન નિષ્ફળ હોય તો તે માણસને સુખી ગણી શકાય નહીં વર્તમાન સમાજમાં લગ્નજીવનને નિષ્ફળ બનાવતાં પરિબળોને આપણે અનુભવના બળે ઓળખી લેવાં જોઇએ આ પરિબળોથી દૂર રહેવામાં આવે અને લગ્નસંસ્કાર માટે ઋષિમુનિઓએ જે મર્યાદાઓ નક્કી કરી છે તેનું કડક પાલન કરવામાં આવે તો પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતરી આવે તેમ છે.  (Courtesy : Mumbai Samachar)

- અતુલ એન. ચોટાઈ  - (પત્રકાર અને લેખક)

Saturday, May 16, 2015

www.lohanamahaparishadnews.blogspot.com Mega Thelesimia Test camp for Raghuvanshis at Rajkot @ 9. a.m to 12.30 p.m. on 17-5-2015 Sunday @ Sanganwa chowk and Kalavad Road Lohana Mahjan Wadi Rajkot All Are Most WEL Come for Registration pl. Contect Ashok Hindocha M-94262-01999(0281-2234714 7 p.m to 9.30.p.m.) Dr. Nitin Radia 98250-79147 Dr. Ramesh Bhayani-M-94281 58989 www.lohanavaivisal.org www.ashokhindocha.blogspot.com


www.lohanamahaparishadnews.blogspot.com  Mega Thelesimia Test camp for Raghuvanshis at Rajkot @ 9. a.m to 12.30 p.m. on 17-5-2015 Sunday @ Sanganwa chowk and Kalavad Road Lohana Mahjan Wadi Rajkot
All Are Most WEL Come for Registration pl.  Contect     Ashok Hindocha M-94262-01999(0281-2234714  7 p.m to 9.30.p.m.)
Dr. Nitin Radia 98250-79147 Dr. Ramesh Bhayani-M-94281 58989
www.lohanavaivisal.org
www.ashokhindocha.blogspot.com
 

Lohanamahaparishad/Raghuvanshisamajnews: Drawing-Competition-A-3-Posterwww.ashokhindocha.bl...

Lohanamahaparishad/Raghuvanshisamajnews: Drawing-Competition-A-3-Posterwww.ashokhindocha.bl...: <img style="-webkit-user-select: none; cursor: zoom-in;" src="http://www.lohanamahaparishad.org/wp-content/uploads/2015/0...

www.lohanamahaparishadnews.blogspot.com  Mega Thelesimia Test camp for Raghuvanshis at Rajkot @ 9. a.m to 12.30 p.m. on 17-5-2015 Sunday @ Sanganwa chowk and Kalavad Road Lohana Mahjan Wadi Rajkot
All Are Most WEL Come for Registration pl.  Contect     Ashok Hindocha M-94262-19999(0281-2234714  7 p.m to 9.30.p.m.)
Dr. Nitin Radia 98250-79147 Dr. Ramesh Bhayani-M-94281 58989
www.lohanavaivisal.org
www.ashokhindocha.blogspot.com
www.lohanamahaparishadnews.blogspot.com  Mega Thelesimia Test camp for Raghuvanshis at Rajkot @ 9. a.m to 12.30 p.m. on 17-5-2015 Sunday @ Sanganwa chowk and Kalavad Road Lohana Mahjan Wadi Rajkot
All Are Most WEL Come for Registration pl.  Contect     Ashok Hindocha M-94262-19999(0281-2234714  7 p.m to 9.30.p.m.)
Dr. Nitin Radia 98250-79147 Dr. Ramesh Bhayani-M-94281 58989
www.lohanavaivisal.org
www.ashokhindocha.blogspot.com