Monday, February 15, 2016

વિરમગામ તાલુકાના કમીજળા ગામે શ્રી લોહાણા મહાપરિષદ આયોજીત આંતરરાષ્ટ્રીય રઘુવંશી સંમેલનમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ ................... શિક્ષિત-દિક્ષિત અને તંદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવતી કન્યાઓ ધરાવતો સમાજ જ પ્રગત્તિ કરી શકે છે : મુખ્યમંત્રીશ્રી .................. સમાજની સમસ્યાઓ અને વાડાબંધી દૂર કરવા માટે સમાજ મોવડીઓ આગળ આવે : મુખ્યમંત્રીશ્રી .................. રાજ્ય સરકારના પ્રયત્નોથી કન્યા શિક્ષણ અને કન્યા જાતિ પ્રમાણમાં છેલ્લાં દસકામાં નોંધપાત્ર સુધારો થયો છે : મુખ્યમંત્રીશ્રી

વિરમગામ તાલુકાના કમીજળા ગામે શ્રી લોહાણા મહાપરિષદ આયોજીત આંતરરાષ્ટ્રીય રઘુવંશી સંમેલનમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ

...................
શિક્ષિત-દિક્ષિત અને તંદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવતી  કન્યાઓ
ધરાવતો સમાજ પ્રગત્તિ કરી શકે છે : મુખ્યમંત્રીશ્રી
..................
સમાજની સમસ્યાઓ અને વાડાબંધી દૂર કરવા માટે  સમાજ મોવડીઓ આગળ આવે  : મુખ્યમંત્રીશ્રી
..................
રાજ્ય સરકારના પ્રયત્નોથી કન્યા શિક્ષણ અને કન્યા જાતિ પ્રમાણમાં
છેલ્લાં દસકામાં નોંધપાત્ર સુધારો થયો છે  : મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે જણાવ્યું છે કે, શિક્ષિત-દિક્ષિત અને તંદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવતી કન્યાઓ ધરાવતો સમાજ પ્રગત્તિ કરી શકે છે અને તે સમાજ સંસ્કારી અને સુવાસિત બને છે. ઉદ્દાત વિચારધારાના પ્રવર્તક રવિભાણ સંપ્રદાયના સદગુરૂ શ્રી ભાણ સાહેબની ૩૧૮મી જન્મજયંતિના અવસરે જાણીતા રામાયણી શ્રી મોરારીબાપુના વ્યાસાસને વિરમગામ તાલુકાના કમીજળા ખાતે યોજાઈ રહેલી રામકથાના બીજા દિવસે શ્રી લોહાણા મહાપરિષદ આયોજીત આંતરરાષ્ટ્રીય રઘુવંશી સંમેલનને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે મારા તારાની વાડાબંધી તોડીને સમાજ એક અને નેક બની શકે છે અને રાજ્ય તથા રાષ્ટ્રના વિકાસમાં સંવાહક બને છે. સમાજ મોવડીઓ માટે આગળ આવે, ગરીબના ઘર સુધી રોટલો પહોંચે તે માટે સમાજ શ્રેષ્ઠીઓ કર્મશીલ બને તે માટે મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક અનુરોધ કર્યો હતો.

   
મુખ્યમંત્રીશ્રીએ કન્યા કેળવણી અને કન્યા તંદુરસ્તી માટે સમાજમાં જાગૃત્તિ ફેલાવવા અને સમાજને સંવર્ધિત કરવા માટે આહવાન કરતા જણાવ્યું હતુ કે, કન્યા કેળવણી અભિયાનના કારણે વર્ષ ૨૦૦૧માં કન્યા શિક્ષણનું પ્રમાણ ૫૮ ટકા હતુ તે વર્ષ ૨૦૧૧માં ૭૪ ટકા થયુ છે. કન્યા જાતિ પ્રમાણ કે જે વર્ષ ૨૦૦૧માં ૮૦૨ હતુ તે વધીને ૨૦૧૧માં ૯૦૪ થયુ છે. રાજ્યમાં ૫૬ લાખ બહેનોની આરોગ્ય તપાસણી થઈ છે અને તેમાં કેન્સરગ્રસ્ત જણાયેલ બહેનોને નજીકની સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર આપવામાં આવી છે તેમ તેઓએ ઉમેર્યુ હતુ. રઘુવંશી સમાજ દ્વારા કન્યા કેળવણી માટે અપાયેલા રૂ. લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીએ સ્વીકાર્યો હતો. લોહાણા યુવા સમાજ દ્વારા ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં લોહીની જરૂરિયાત માટે રક્તદાતા ઉપલબ્ધ બને તે માટેની મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે તેની મુખ્યમંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી. લોહાણા સમાજ દ્વારા આગામી સમયમાં અંબાજી ખાતે શરૂ કરવામાં આવનાર હોસ્પિટલના પ્રકલ્પ માટે તેઓએ અભિનંદન આપ્યા હતા. પ્રખર રામાયણી શ્રી મોરારી બાપુ તથા ભાણ સાહેબની ગુરૂ ગાદીના મહંત શ્રી જાનકીદાસ બાપુએ પ્રસંગે આર્શીવચન પાઠવ્યા હતા. લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી પ્રવિણભાઈ કોટકે સ્વાગત પ્રવચન કર્યું હતુ. રઘુવંશી સમાજનો ઈતિહાસ અને વિકાસ ગાથા દર્શાવતી ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી. લોહાણા સમાજના વિદેશ વિભાગમાં નિયુક્ત ઉપપ્રમુખોને મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે નિમણૂંકપત્રો આપવામાં આવ્યા હતા પ્રસંગે ધારાસભ્યો, સર્વશ્રી નિમાબહેન આચાર્ય-મહેન્દ્રભાઈ મશરૂ, પૂર્વ ધારાસભ્યો કમાભાઈ રાઠોડ અને શ્રી પ્રાગજીભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, જીલ્લા કલેકટર શ્રી રાજકુમાર બેનિવાલ, પ્રાંત અધિકારી શ્રી કે.વી.ભાલોડિયા તથા સંતો મહંતો અને લોહાણા સમાજના દેશ-વિદેશથી પધારેલા આગેવાનો તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Monday, February 8, 2016

રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખપદે કાશ્‍મીરાબેન નથવાણીની સર્વાનુમતે વરણી-iinf. by AShok Hindocha Rajkot M-94262 54999

રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખપદે
કાશ્‍મીરાબેન નથવાણીની સર્વાનુમતે વરણી

રાજકોટ, તા. ૮ : રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખપદે યુવા, શિક્ષીત, સેવાભાવી મહિલાશ્રેષ્‍ઠી શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. સમગ્ર લોહાણા સમાજમાં હર્ષોલ્લાસ છવાયો છે. જુનાગઢ ખાતે સમગ્ર સૌરાષ્‍ટ્રના મહાજનોની હાજરીમાં શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. રાજકોટ લોહાણા મહાપરીષદના પ્રથમ મહિલા પ્રમુખ બનતા કાશ્‍મીરાબેનને શ્રી લોહાણા મહાપરીષદના તમામ સભ્‍યો તેમજ લોહાણા સમાજ દ્વારા શુભેચ્‍છાઓ પાઠવાઇ હતી. પદગ્રહણ કર્યા બાદ કાશ્‍મીરાબેને પૂ. હરીચરણદાસજી બાપુના પણ આશીર્વાદ લીધા હતા. મેડિકલ, શૈક્ષણિક, સામાજીક, સેવાકીય, ધાર્મિક સહિતના ક્ષેત્રમાં પોતાનું શ્રેષ્‍ઠ યોગદાન આપવા અને સ્‍વ. જેન્‍તીભાઇ કુંડલીયા, સ્‍વ. ભગવાનજીભાઇ નથવાણી, ડો. હર્ષદભાઇ ખખ્‍ખર અને વીણાબેન પાંધીએ કરેલા યશસ્‍વી કાર્યોને આગળ વધારવા આહવાન કર્યુ હતું. જાહેરજીવનના વરીષ્‍ઠ અગ્રણી સ્‍વ. ચીમનભાઇ શુકલના દિકરી તેમજ પીઢ સ્‍વાતંત્રસેનાની સ્‍વ. વાલજીભાઇ નથવાણીના પુત્રવધુ તથા યુવા વેપારી બકુલભાઇ નથવાણીના ધર્મપત્‍ની શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણી છે. તેઓની વરણીનો ઠરાવ શ્રી લોહાણા મહાપરીષદના વરીષ્‍ઠ ટ્રસ્‍ટી સુશ્રી વીણાબેન પાંધીએ મુકેલો હતો. જેઓને પૂર્વ મેયર જનકભાઇ કોટક અને કેળવણીકાર નવીનભાઇ ઠક્કરે સમર્થન આપતા તેમજ મહાજનની સમિતિએ સર્વાનુમતે કાશ્‍મીરાબેનની વરણી કરેલ હતી.

આ પ્રસંગે શ્રીમતિ નથવાણીએ જણાવ્‍યું હતું કે લોહાણા મહાજનના પ્રમુખ તરીકે મને જે સ્‍થાન અપાયુ છે, જવાબદારી સોંપી છે તે બદલ હું સમાજની આભારી છું. ડો. હર્ષદભાઇ ખખ્‍ખર સાથે મને ઘણા વર્ષો સુધી વિવિધ હોદા પર રહી કાર્ય કરવાની જે તક મળી છે તે બાબતે હું તેમની ખાસ ઋણી રહીશ. સ્‍વ. જયંતિભાઇ કુંડલીયાના કાર્યકાળ દરમિયાન માનદમંત્રી ડો. હર્ષદભાઇ ખખ્‍ખર સાથે વર્ષો સુધી કાર્ય કરતાં વહીવટી બાબતો વ્‍યવહારો, કુશળતાપૂર્વક પ્રશ્નો ઉકેલવાની કાર્યપધ્‍ધતી મને શીખવા મળી બાદ ડો. ખખ્‍ખરે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખપદ સંભાળ્‍યુ ત્‍યારે મને કારોબારી પ્રમુખ તરીકેની જવાબદારી આપી ત્‍યારે સૌથી વિશેષ સમય તેઓની સાથે કામ કરવાની તક મળી. સાંગણવા ચોક, કરણપરા, કાલાવડ રોડ તેમજ બે હોલ જંકશન પ્‍લોટ અને વાણીયાવાડી વિસ્‍તારના કુંડલીયા હોલ મહાજન સંલગ્ન એવી રઘુવંશી સમાજની સંસ્‍થાઓ સાથેનો સંપર્ક વ્‍યવહાર આ ઉપરાંત હરીદ્વાર, શ્રીનાથજી, દ્વારકાના અતિથિગૃહનું સંચાલન, સંકલન સંભાળવું. હાલ જે નવી જવાબદારી મને સોંપવામાં આવી છે તે શ્રધ્‍ધાપૂર્વક, વફાદારીથી નિભાવીશ તેમ અંતમાં જણાવ્‍યું હતું. શ્રીમતિ કાશ્‍મીરાબેન નથવાણી (મો. ૯૮૯૮૨ ૨૦૧૨૦) ને પ્રવિણભાઇ કોટક, ઉમંગભાઇ ઠક્કર, યોગેશભાઇ લાખાણી, પરેશભાઇ ભુપતાણી, હિમાંશુભાઇ ઠક્કર, પીયુષભાઇ ગડ્ડા, મીતલભાઇ ખેતાણી, નીતિનભાઇ રાયચુરા, સુરેશભાઇ ચંદારાણા, યોગેશભાઇ પૂજારા, શૈલેષભાઇ પૂજારા, હસુભાઇ ભગદેવ, ભરતભાઇ રેલીયા વિ. એ શુભેચ્‍છા પાઠવી હતી.


લોહાણા મહાપરીષદ દ્વારા કાશ્‍મીરાબેન નથવાણીનું અભિવાદન

રાજકોટઃ સમસ્‍ત વિશ્વના ૨૫ લાખ રઘુવંશીઓનું પ્રતિનિધીત્‍વ કરતી માતૃસંસ્‍થા શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા રાજકોટ લોહાણા મહાજનના નવનિયુક્‍ત, યુવા પ્રમુખ અને સમગ્ર વિશ્વના મહાજનના ઇતિહાસમાં પ્રથમવાર મહિલા પ્રમુખ બનેલા અને સર્વાનુમતે નિમણુંક પામેલા શ્રી લોહાણા મહાજનના પ્રમુખ શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણીનું અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે પ્રવિણભાઇ કોટકે પૂર્વ પ્રમુખ ડો. હર્ષદભાઇ ખખ્‍ખર, સુશ્રી વિણાબેન પાંધીના સતત માર્ગદર્શન બદલ અંતરનો રાજીપો વ્‍યક્‍ત ર્ક્‍યો હતો તથા શ્રી લોહાણા મહાપરીષદની સમગ્ર વૈશ્વીક ટીમ વતી રાજકોટ લોહાણા મહાજનની સમગ્ર ટીમને અભિનંદન આપ્‍યા હતાં. ડો. હર્ષદભાઇ ખખ્‍ખરે રઘુકૂળ ભામાશા પૂ. જયંતીભાઇ કુંડલીયાનું બહેનોને જાહેર જીવન તથા જ્ઞાતિમાં સક્રિય કરવાનું સ્‍વપ્‍ન આજે સાર્થક થયું તેમ જણાવ્‍યું હતું. આ તબક્કે શ્રી લોહાણા મહાપરીષદના યુવા મંત્રી શ્રી હિમાંશુભાઇ ઠક્કર, સંયુક્‍ત મંત્રી મિતલ ખેતાણી, રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ (સંગઠન) નિતીનભાઇ રાયચૂરા, ડો. રમેશભાઇ ભાયાણી, સૌરાષ્‍ટ્ર વિભાગના સુરેશભાઇ ચંદારાણા, યોગેશભાઇ પુજારા, શૈલેષભાઇ ગણાત્રા, હસુભાઇ ભગદે, અશોકભાઇ હિંડોચા, ભરતભાઇ રેલીયા, રમેશભાઇ ઠક્કર,  નિતીનભાઇ નથવાણી, ઉમેશભાઇ નંદાણી, ડાયાલાલભાઇ કેસરીયા, ડો. પરાગ દેવાણી, મિતેશ રૂપારેલીયા સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં. આ તબક્કે ઉલ્લેખનીય છે કે રાજકોટ લોહાણા મહાજનના નવનિયુક્‍ત પ્રમુખ શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણી માતૃસંસ્‍થા લોહાણા મહાપરીષદમાં સંયુક્‍ત મંત્રી તરીકેની જવાબદારી પણ સફળતાપૂર્વક વહન કરી રહ્યાં છે. (Courtesy : Akila Daily)

Thursday, February 4, 2016

લોહાણા મહાજનના પ્રમુખપદેથી ડો. હર્ષદભાઇ ખખ્‍ખર સ્‍વૈચ્‍છીક સેવા નિવૃત્ત

લોહાણા મહાજનના પ્રમુખપદેથી
ડો. હર્ષદભાઇ ખખ્‍ખર સ્‍વૈચ્‍છીક સેવા નિવૃત્ત

સમગ્ર  ભારતમાં રાજકોટ લોહાણા મહાજનને પ્રજમ હરોળમાં સ્‍થાન અપાવનાર લોહાણા મહાજનના પ્રમુખ ડો. હર્ષદભાઇ ખખ્‍ખર સ્‍વૈચ્‍છીક સેવાનિવૃત્ત થઇ પ્રમુખપદનો ચાર્જ બંધારણીય ઉત્તરાધિકારીને સોંપ્‍યો છે. તેઓએ સહયોગ આપનાર સૌનો આભાર માન્‍યો હતો. ડો. હર્ષદભાઇ ખખ્‍ખરએ તેઓના સમગ્ર કાર્યકાળ દરમ્‍યાન લોહાણા મહાજનના મંત્રી, કારોબારી પ્રમુખ તથા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમ્‍યાન મહાજનના સાથી કાર્યકરો, સંલગ્ન સંસ્‍થાઓના પદાધિકારીઓ તથા મહાજનના કર્મચારી ગણે તેઓમાં વિશ્વાસ મૂકી જે સાથ અને સહકાર આપેલ છે. તેની ફળશ્રૃતિરૂપે રાજકોટ લોહાણા મહાજનને ભારતભરમાં પ્રથમ હરોળમાં સ્‍થાન મળ્‍યું એટલુ જ નહીં પણ વૈશ્વિક લોહાણા મહાપરિષદમાં આજે ટ્રસ્‍ટી તરીકે સમીતી ચેરમેન, સંયુકત મંત્રી, રાષ્‍ટ્રીય મંત્રી તરીકે રાજકોટના આપણા ભાઇઓની નિમણૂંક થયેલ છે તેનું આપણેને સૌવને ગોૈરવ છે.

આમ, સૌરાષ્‍ટ્રના જામનગર જીલ્લા જોડીયા ગામમાં તા. ર૦ એપ્રિલ-૧૯૪૦ના રોજ જન્‍મ થયો અને બચપણથી હાઇસ્‍કૂલ સુધી શિક્ષણ જોડીયા મુકામે લઇ જામનગરની મેડીકલ કોલેજમાંથી ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ.ની ડીગ્રી પ્રથમ નંબરે મેળવી સૌરાષ્‍ટ્ર યુનિ. મેડીકલ ફેકલ્‍ટીમાં એમ.એસ. સર્જનની ડીગ્રી સને-૧૯૬૮ની સાલમાં મેળવી ડો. તરીકેની વ્‍યવસાયીક કાર્યક્ષેત્ર શરૂ કરેલ તેઓ તેઓની કારકિર્દી દરમ્‍યાન જુદી જુદી વ્‍યવસાયીક, સામાજીક તથા જ્ઞાતિ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિઓ કરેલ છે. જેમાં ૧૯૬૮ થી ૬૯ સીવીલ સર્જન દ્વારકા ૧૯૭૪ સુધી સુપ્રીન્‍ટેન્‍ડન માધ્‍યીમક આરોગ્‍ય કેન્‍દ્ર, રાજુલા જયાં લોહાણા મહાજનમાં ૧૯૭૧થી ૧૯૭૪ સુધી નગરપાલિકાના ઉપપ્રમુખ -શિક્ષણ સમિતિના ચેરમેન. ૧૯૭પ થી ૧૯૮૧ કેશોદ મુકામે પ્રાઇવેટ સર્જીકલ હોસ્‍પિટલ તથા ટી.બી. હોસ્‍પિટલમાં માનદ સર્જન તરીકે તથા લોહાણા મહાજનમાં સક્રિય સદસ્‍ય તેમજ કેશોદમાં પ્રીમીયર ઇંગ્‍લીશ સ્‍કૂલમાં નવું બીલ્‍ડીંગ બાંધી ૧૯૮૦-૧૯૮૧માં લોહાણા બોર્ડીંગમાં પ્રમુખપદે કામગીરી કરી અને ૧૯૮૧માં કેશોદ મેડીકલ પ્રમુખ તરીકે ચૂંટાયેલ. ૧૯૮૧ થી ૧૯૯૯ દરમ્‍યાન રાજકોટ મુકામે બસ સ્‍ટેશન ઉપર સંજીવની હોસ્‍પિટલ શરૂ કરી કુશળ સર્જન તરીકે નામના મેળવેલ છે તેમજ ૧૯૮રની સાલમાં ઓલ ઇન્‍ડિયા મેડીકલ એસોસી. સૌરાષ્‍ટ્ર વિભાગીય ઉપપ્રમુખ તરીકે ચૂંટાઇ આવેલા અને ૧૯૯૧-૯ર રાજકોટ સર્જન એસોસીએશનના પ્રમુખ તરીકે વરણી પામેલ અને લોહાણા સેવા મંડળ સંચાલીત, કૃષ્‍ણ ચિકિત્‍સાલયમાં માનદ સર્જન તરીકે સેવા આપેલ.

૧૯૯૯ની સાલમાં લોહાણા મહાજન, રાજકોટના કારોબારી સભ્‍ય નિમાયા અને જ્ઞાતિ સેવા માટે રાજકોટ લોહાણા મહાજનના મહામંત્રી તરીકે કાર્યભાર સંભાળેલ અને તેઓ રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ તરીકે સેવા આપેલ અને હાલ છેલ્લે તેઓ રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળેલ. સન ર૦૦૦ની સાલમાં મહાજન મંત્રી તરીકે તેઓએ ચાર્જ સંભાળ્‍યો ત્‍યારે રાજકોટમાં લોહાણા મહાજનની ૩ વાડીઓ હતી જેની જગ્‍યાએ આજે ૬ લોહાણા મહાજનની વાડી છે. તેમજ પૂજય જશવંતીબેન જયંતીલાલ કુંડલીયા અતિથિ ગૃહ, નાથદ્વારા, હરિદ્વારમાં તથા દ્વારીકામાં અતિથિ ગૃહોનો કુશળ કાર્યભાર તેઓએ ટ્રસ્‍ટી તરીકે સંભાળેલ તેમજ ર૦૦૦ની સાલમાં લોહાણા મહાજન દાતાશ્રીઓ પાસેથી ફંડ લઇ કાર્ય કરતી હતી જે આજે પણ ચાલુ છે, પરંતુ આજે લોહાણા મહાજન પાસે પોતાનું રૂપિયા ૬પ,૦૦,૦૦૦/- ફીકસ ડીપોઝીટ (એફ.ડી.)નું ભંડોળ એકત્રીત જમા થયેલ છે. આમ, તેઓના સમયકાળ દરમ્‍યાન લોહાણા મહાજને દિન પ્રતિદિન સફળ કાર્યવાહી કરેલ છે. સને-ર૦૦૭માં રામેશ્વરમાં લોહાણા મહાપરિષદના ટ્રસ્‍ટી તરીકે વરણી થયેલ અને ર૦૦પ થી ર૦૧૦ના સમય દરમ્‍યાન લોહાણા મહાપરિષદના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળેલ અને સફળ કામગીરી કરેલ તેમજ તેઓ આર.સી.સી. બેંક રાજકોટના ડાયરેકટર તરીકે પણ નિમણૂંક પામેલ છે. ઉપરોકત તમામ કાર્ય તેઓએ પૂરેપૂરી નિષ્‍ઠાથી અને પ્રમાણીકતાથી સફળતાપૂર્વક પાર પાડવાના ધ્‍યેયથી કાર્યશીલ રહી તન-મન-ધનથી જ્ઞાતિના હિત માટે સેવા કાર્યો કરેલ છે અને આજ સુધીના તેઓના તમામ કાર્યોમાં સફળતા મળી છે અને તેનો સઘળો જશ સમગ્ર રઘુવંશી સમાજનો છે.  સમયના વહેતા પ્રવાહ સાથે તેઓના વનપ્રસ્‍થાશ્રમ પૂર્ણ થવાની ઉંમરે (૭૬ વર્ષ) હવે શરીર થાક અનુભવે છે. ત્‍યારે આજ સુધી કરેલ કાર્યની સફળતાના સંપૂર્ણ આત્‍મ સંતોષ સાથે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ પદેથી તેઓનો ચાર્જ બંધારણીય ઉતરાધિકારીને સોંપી સ્‍વૈચ્‍છીક નિવૃત થયેલ છે.
ડો. હર્ષદભાઇ ખખ્‍ખર : મો : ૯૪૨૬૨ ૨૯૪૦૮ (Courtsy : akila daily)

Monday, February 1, 2016

MOST WEL COME- JAY Jalaram -Jay Lohana Mahaparishad-





www.ashokhindocha.blogspot.com
M-94262 01999
hindochaashok@gmail.com


www.lohanamahaparishad.org
Most Wel Come
Jay Jalaram