Thursday, June 23, 2016

રઘુવંશી સમાજના લગ્નોત્સુક યુવક - યુવતીઓ માટે રવિવારે વાલી સંમેલન : ઓન ધી સ્પોટ એન્ટ્રી

રઘુવંશી સમાજના લગ્નોત્સુક યુવક - યુવતીઓ માટે રવિવારે વાલી સંમેલન : ઓન ધી સ્પોટ એન્ટ્રી
રાજકોટ લોહાણા મહાજન અને મેરેજ બ્યુરો સમિતિ દ્વારાઃ કોઇપણ ઉંમરના ઉમેદવારો ભાગ લઇ શકશે : નિઃશુલ્ક થેલેસેમીયા ટેસ્ટ : ૭૦૦ થી યુવક - યુવતીઓ હાજર રહેશે : કેશરીયા વાડી ખાતે કાર્યક્રમ
રઘુવંશી સમાજના  લગ્નોત્સુક યુવક - યુવતીઓ માટે રવિવારે વાલી સંમેલન : ઓન ધી સ્પોટ એન્ટ્રી
   રાજકોટ,તા. ૨૩ : શ્રી રાજકોટ લોહાણા  મહાજન તથા  મેરેજ બ્યુરો સમિતિ ના સર્વ હોદેદારો - પ્રમુખ - શ્રીમતિ કાશ્મીરાબેન નથવાણી, ઉપપ્રમુખ  વીણાબેન પાંધી, જનકભાઇ કોટક,  કારોબારી પ્રમુખ, ચંદ્રકાન્તભાઇ તન્ના, કારોબારી ઉપપ્રમુખ અશોકભાઇ કુંડલીયા, ડો.વી. એસ. ચંદારાણા,  માનદમંત્રી ઓ શ્રીમતિ રીટાબેન  કોટક, શૈલેષભાઇ ગણાત્રા, ખજાનચી, સંજયભાઇ કકકડ, ઇન્ટરનલ ઓડીટર, છબીલભાઇ નથવાણી, સંગઠન મંત્રી, મીતલ ભાઇ ખેતાલી, યોગેશભાઇ જસાણી,  અશોકભાઇ ર્હિન્ડોચા, કાર્યાલય મંત્રીઓ ભુપેન્દ્રભાઇ કોટક, સુરેશભાઇ કાથરાણી તથા મેરેજ બ્યુરો, કમીટીના  જીતેન્દ્રભાઇ નથવાણી, કીરીટભાઇ  કેશરાણી,  વિનોદભાઇ પોપટ,  પ્રકાશભાઇ સુચક, હિતેશભાઇ પોપટ, દિલીપભાઇ સુચક, જયંતભાઇ બુધ્ધદેવ,ની સંયુકત યાદી મુજબ આગામી તા.૨૬ રવિવારે બપોરે ૨:૩૦ થી  સાંજના ૭ સુધી કાલાવડ રોડ કેશરીયા લોહાણા મહાજન વાડી(વાતાનુકુલિત) ખાતે રઘુવંશી સમાજના  લગ્નોત્સક ગ્રેજ્યુએટ - નોનગ્રેજ્યુએટ કોઇપણ યુવક-યુવતીઓ નિઃશુલ્ક વાલી સંમેલન યોજાયેલ છે. જેમાં ઓન ધી સ્પોટ એન્ટ્રી સાથે જોડાઇ શકશે.
   તમામે બાયોડેટા સાથે લાવવાનો રહેશે. વાલીઓનો વ્યકિતગત સંપર્ક કરાવી  અપાશે. ચા પાણી તથા  લાઇટ રીફ્રેશમેન્ટ ની વ્યવસ્થા રાખેલ છે. સ્થળ ઉપર જન્માક્ષર સંબંધી માર્ગદર્શન અપાશે.
   શ્રી લોહાણા મહાપરીષદ તથા રાજકોટ લોહાણા મહાજનના સથવારે તમામ ભાઇ બહેનો વિદ્યાર્થી ઓ માટે નિઃશુલ્ક થેલેસીમીયા  ટેસ્ટનું પણ રવિવારે બપોરે કાલાવડ રોડ કેશરીયાવાડી ખાતે રાખેલ છે. થેલેસેમીયા  સમિતિ દ્વારા વિસ્તૃત  માર્ગદર્શન અપાશે.
   આ અંગે નામ નોંધાવવા તેમજ વિસ્તૃત  માહિતી માટે વોટસઅપ નંબર ૯૮૨૪૨૨૪૨૭૦ શ્રી કીરીટભાઇ કેશરીયા  તથા વોટ્સઅપ નંબર ૯૪૨૬૨ ૦૧૯૯૯ શ્રી અશોક હિન્ડોચા નો સંપર્ક કરવા જણાવ્યું છે.
   ઉપરોકત  તસ્વીરમાં લોહાણા અગ્રણીઓ સર્વશ્રી  હિતેષભાઇ પોપટ, અશોક  ર્હિન્ડોચા,  કિરીટભાઇ કેશરીયા, યોગેશભાઇ જસાણી,  સંજયભાઇ ક્ક્કડ અને સુરેશભાઇ કાથરાણી નજરે પડે છે.(તસ્વીર : વિક્રમ ડાભી)(૪૦.૪)
 (04:15 pm IST)
 
Share This News
 
Follow Akilanews.com

Tuesday, June 21, 2016

યોગ દ્વારા સૌંદર્ય નિખારો - શહનાઝ હુસૈન inf. by Ashok Hindocha M-94262 54999

યોગ દ્વારા સૌંદર્ય નિખારો
- શહનાઝ હુસૈન inf. by Ashok Hindocha M-94262 54999 સૌંદર્ય શરીર અને મન બંનેના સ્વાસ્થ્યનો અરીસો છે. મારું માનવું છે કે સારું સ્વાસ્થ્ય તેમજ બાહ્ય સુંદરતા એક જ સિક્કાની બે બાજુઓ છે. જો તમે દરેક રીતે સ્વસ્થ નથી, તો તમારી સુંદરતામાં નિખાર ક્યારેય નહીં આવી શકે. આકર્ષક ત્વચા, કાળા ચમકતા વાળ અને નમણી કાયા માત્ર સ્વસ્થ રહેવાથી જ મેળવી શકાય છે. મેં તમામ સ્વાસ્થ્ય, આયુર્વેદિક સિદ્ધાંતોને યોગના માધ્યમ દ્વારા જ પ્રોત્સાહન આપ્યું છે. સૌંદર્ય વિશેના આ અનોખા દ્રષ્ટિકોણને વિશ્વભરમાં પ્રશંસા મળી છે. મારા મતે, હાલની આધુનિક જીવનશૈલીમાં સમગ્ર સ્વાસ્થ્ય તેમજ સૌંદર્ય હાંસલ કરવા માટે યોગ અત્યંત સમયોનુચિત છે. હકીકતમાં યોગ મારા વ્યક્તિગત જીવનનું અભિન્ન અંગ છે અને મને એનાથી અનેક લાભ થયા છે. સુંદર ત્વચા અને ચમકતા વાળો માટે પ્રાણાયામ સૌથી મહત્ત્વપૂર્ણ છે. તેનાથી તણાવ ઓછો થાય છે અને લોહીમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે. જેનાથી લોહીનું ભ્રમણ વધુ સારી રીતે થઈ શકે છે. ઉત્તાનાસન, ઉત્કટાસન, શીર્ષાસન, હલાસન તેમજ સૂર્યનમસ્કાર આંતરિક તેમજ બાહ્ય સૌંદર્ય નિખારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. યોગાસન કરવાથી વ્યક્તિ શારીરિક તેમજ માનસિક બંને રીતે સ્વાસ્થ્યના લાભ મેળવે છે. યોગથી માત્ર માંસપેશીઓ જ સુદ્રઢ નથી બનતી, પરંતુ શરીરમાં પ્રાણશક્તિ વધે છે અને આંતરિક અંગો સુદ્રઢ બને છે તેમજ નાડી તંત્ર સંતુલિત બને છે. યોગ દ્વારા માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે અને માનસિક એકાગ્રતા મેળવી શકાય છે. યોગ પ્રાચીનકાળની ભારતીય વિદ્યા છે તેમજ સંતુલિત વ્યક્તિત્વ હાંસલ કરવા તેમજ વૃદ્ધાવસ્થા અટકાવવા માટે યોગ, અસરકારક ઉપાય હોવાનું મનાય છે. યોગ દ્વારા શ્વાસ પર નિયંત્રણ મેળવી શકાય છે તેમજ યોગક્રિયા દરમિયાન શ્વાસને છોડવા તેમજ શ્વાસને ખેંચવાની ગહન વૈજ્ઞાનિક પ્રક્રિયા કરવાની હોય છે, જેનાથી શરીરને પ્રાણ વાયુ મળે છે. તેનાથી શારીરિક તેમજ માનસિક આનંદની અનુભૂતિ થાય છે. સૌંદર્ય માટે આ અત્યંત આવશ્યક છે, કારણ કે આનંદનો અનુભવ જ શારીરિક સૌંદર્યનો અનિવાર્ય હિસ્સો છે. યોગથી લોહીનું ભ્રમણ વધુ સારું બને છે, જેના કારણે ત્વચાની બાહ્ય સપાટી પર લોહીનું ભ્રમણ વધે છે અને તે ત્વચાની સુંદરતા માટે ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે તેનાથી ત્વચાને પર્યાપ્ત પોષણ મળે છે. તેનાથી ત્વચામાં રહેલા ઝેરી તત્વો બહાર કાઢવામાં પણ મદદ મળે છે. તેનાથી ત્વચા ટોન થાય છે, ઓક્સિજનનો યોગ્ય પ્રસાર થાય છે, સુંદર આભા નિખરે છે, તેમજ ત્વચામાં તાજગી અને યુવાની જળવાયેલાં રહે છે અને ત્વચા રોગમુક્ત રહે છે. આ જ પ્રક્રિયા વાળ માટે પણ લાગુ પડે છે. જ્યાં સુધી બાહ્ય રૂપનો સવાલ છે, ત્યાં સુધી નમણી કાયા દ્વારા તમે ઘણા યુવાન દેખાઈ શકો છો તેમજ લાંબા સમય સુધી યૌવન જાળવી શકો છો. યોગ દ્વારા શરીરના પ્રત્યેક ટિશ્યુને ઓક્સિજન મળી રહે છે, જેનાથી સ્વાસ્થ્ય અને સુંદરતાનો માર્ગ આપોઆપ મોકળો બને છે. એ વાત જાણી લેવી જરૂરી છે કે જો તમારા જીવનમાં શારીરિક સક્રિયતાનો અભાવ છે, તો તમે વૃદ્ધાવસ્થાને આમંત્રણ આપી રહ્યા છો. યોગના વિવિધ આસનો દ્વારા કરોડરજ્જુ તેમજ સાંધાની લવચીકતા તેમજ કોમળતા લાવી શકાય છે. તેનાથી શરીર સુદ્રઢ અને સ્ફૂર્તિલું બને છે,માંસપેશીઓ સુદ્રઢ બને છે, લોહીનું ભ્રમણ વધુ સારું બને છે, શરીરમાં ઉત્સાહ અને પ્રાણશક્તિનો સંચાર થાય છે અને બાહ્ય સૌંદર્ય નિખરે છે તેમજ સ્વાસ્થ્ય વધુ સારું બને છે. સૌંદર્ય સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ તણાવને કારણે સર્જાય છે. યોગ દ્વારા તણાવ ઘટે છે તેમજ શરીર શાંતિમય સ્થિતિમાં પહોંચે છે, જેનાથી તણાવને કારણે થતી બીમારીઓ, જેવી કે વાળ ઉતરવા, ખીલ થવા, ટાલ પડવી તેમજ વાળમાં ખોડાની સમસ્યાથી કાયમ માટે છૂટકારો મળી જાય છે. યોગાસનને પોતાની રોજિંદી દિનચર્યામાં સામેલ કરનારા યોગસાધકો પર કરાયેલા એક અભ્યાસમાં એવું તારણ મળ્યું કે યોગસાધકોના વ્યક્તિત્વ, વ્યવહાર, ભાવનાત્મક સ્થિરતા, આત્મવિશ્વાસમાં સકારાત્મક ફેરફાર જોવા મળ્યો છે. મસ્તિષ્ક, ભાવનાઓ તેમજ મૂડ પર યોગની સીધી અસર પડે છે. હકીકતમાં યોગ નિયમિત રીતે તણાવ ઘટાડે છે અને તમારી ત્વચામાં કાંતિ લાવે છે. યોગ દ્વારા તમે તાજગીભર્યા યૌવન અને સુધરેલા મૂડનો તાત્કાલિક અનુભવ કરી શકો છો.(લેખિકા પદ્મશ્રીથી સન્માનિત, ખ્યાતનામ સૌંદર્ય વિશેષજ્ઞ છે - લેખમાં તેમના પોતાના વિચારો રજૂ કરાયેલા છે) માહિતી : પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો ભારત સરકાર - અમદાવાદ www.ashokhindocha.blogspot.com M-94262 54999

Sunday, June 19, 2016

કૈલાસ માનસરોવર યાત્રા વિશેની ઉપયોગી માહિતી -courtey- Atulbhai Chotai www.ashokhindocha.blogspot.com

કૈલાસ માનસરોવર યાત્રા વિશેની ઉપયોગી માહિતી -courtey- Atulbhai Chotai

www.ashokhindocha.blogspot.com

ભગવાન શિવનું નિવાસસ્થાન એટલે કૈલાસ પર્વત અને માનસરોવર એ હિન્દુઓ માટે એક અતિપવિત્ર યાત્રાધામ છે. ભારત સરકાર દ્વારા આ યાત્રા ૮ જૂનથી ૯ સપ્ટેમ્બર મહિના સુધી યોજવામાં આવે છે. કૈલાસ પર્વત: હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે ભગવાન ભોળાનાથ જે સ્થાન પર પરિવાર સહિત નિવાસ કરે છે, તે પર્વત કૈલાશ છે. કૈલાસની પરિક્રમામાં ધારચેનથી ડેરાકૂક પ્રથમ પડાવ ત્યારબાદ બીજા દિવસે ડેરાકૂકથી ઉપર ડોલમાઘાટ પસાર કરીને નીચે ઊતરતા ગૌરી કુંડનાં દર્શન થાય છે. કહેવાય છે કે મા પાર્વતી આ કુંડમાં સ્નાન કરે છે. ત્યાંથી ઊતરીને નીચે જોંગજેરબુ અથવા જુથુલપાર્ક ઊતરીને કૈલાસ પર્વતની પરિક્રમા પૂર્ણ થાય છે. માનવામાં આવે છે કે કૈલાસ પર્વતની આજુબાજુ આવેલી પર્વતની ગુફાઓમાં ઋષિમુનિઓ હજારો વર્ષથી તપશ્ચર્યા કરે છે. કૈલાશ માનસરોવરની યાત્રા બહુ જ કપરી હોય છે, પણ આપણા દેશમાં તેનું ધાર્મિક દ્રષ્ટિએ આગવુ લોકોમાં આગવુ મહત્વ છે. બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવીને કૈલાશની પરિક્રમા કરવા નીકળે છે. ત્યારે આ યાત્રા વિશે થોડી ઉપયોગી જાણકારી મેળવવી જરુરી છે. તાજેતરમાં જ આ યાત્રા ને લઇને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ચીનના રાષ્ટ્રપતિ પાસે વધારાના એક રૂટની માગણી કરી છે. જેથી યાત્રિકો સરળતાની માનસરોવર સુધી પહોંચી શકે. અત્યારે જે રૂટ છે તેના કરતા વધુ સરળ રૂટની સંભાવનાઓ રહેલી છે, જેને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ માંગણી કરવામાં આવી છે.  કૈલાશ પર્વત તિબેટની ટ્રાન્સહિમાલય રેન્જમાં સ્થિત છે, અથવા તો તેનો જ એક ભાગ છે. આ હિમાલય રેન્જ ૧૬૦૦  કિલોમીટરની છે, જે ચીનમાં છે. કૈલાસ - માનસરોવર યાત્રા વિષેની આ  ઉપયોગી માહિતી અકિલા દૈનિક તારીખ ૧૮ - ૦૬- ૨૦૧૬ ના રોજ પ્રસિદ્ધ થયેલ છે. જે નીચેની પી ડી એફ ફાઈલ દ્વારા ડાઉન લોડ કરી મેળવી શકાશે 


- અતુલ એન. ચોટાઈ  - (પત્રકાર અને લેખક)

કૈલાસ માનસરોવર યાત્રા વિશેની ઉપયોગી માહિતી -courtey- Atulbhai Chotai www.ashokhindocha.blogspot.com

કૈલાસ માનસરોવર યાત્રા વિશેની ઉપયોગી માહિતી -courtey- Atulbhai Chotai

www.ashokhindocha.blogspot.com

ભગવાન શિવનું નિવાસસ્થાન એટલે કૈલાસ પર્વત અને માનસરોવર એ હિન્દુઓ માટે એક અતિપવિત્ર યાત્રાધામ છે. ભારત સરકાર દ્વારા આ યાત્રા ૮ જૂનથી ૯ સપ્ટેમ્બર મહિના સુધી યોજવામાં આવે છે. કૈલાસ પર્વત: હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે ભગવાન ભોળાનાથ જે સ્થાન પર પરિવાર સહિત નિવાસ કરે છે, તે પર્વત કૈલાશ છે. કૈલાસની પરિક્રમામાં ધારચેનથી ડેરાકૂક પ્રથમ પડાવ ત્યારબાદ બીજા દિવસે ડેરાકૂકથી ઉપર ડોલમાઘાટ પસાર કરીને નીચે ઊતરતા ગૌરી કુંડનાં દર્શન થાય છે. કહેવાય છે કે મા પાર્વતી આ કુંડમાં સ્નાન કરે છે. ત્યાંથી ઊતરીને નીચે જોંગજેરબુ અથવા જુથુલપાર્ક ઊતરીને કૈલાસ પર્વતની પરિક્રમા પૂર્ણ થાય છે. માનવામાં આવે છે કે કૈલાસ પર્વતની આજુબાજુ આવેલી પર્વતની ગુફાઓમાં ઋષિમુનિઓ હજારો વર્ષથી તપશ્ચર્યા કરે છે. કૈલાશ માનસરોવરની યાત્રા બહુ જ કપરી હોય છે, પણ આપણા દેશમાં તેનું ધાર્મિક દ્રષ્ટિએ આગવુ લોકોમાં આગવુ મહત્વ છે. બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવીને કૈલાશની પરિક્રમા કરવા નીકળે છે. ત્યારે આ યાત્રા વિશે થોડી ઉપયોગી જાણકારી મેળવવી જરુરી છે. તાજેતરમાં જ આ યાત્રા ને લઇને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ચીનના રાષ્ટ્રપતિ પાસે વધારાના એક રૂટની માગણી કરી છે. જેથી યાત્રિકો સરળતાની માનસરોવર સુધી પહોંચી શકે. અત્યારે જે રૂટ છે તેના કરતા વધુ સરળ રૂટની સંભાવનાઓ રહેલી છે, જેને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ માંગણી કરવામાં આવી છે.  કૈલાશ પર્વત તિબેટની ટ્રાન્સહિમાલય રેન્જમાં સ્થિત છે, અથવા તો તેનો જ એક ભાગ છે. આ હિમાલય રેન્જ ૧૬૦૦  કિલોમીટરની છે, જે ચીનમાં છે. કૈલાસ - માનસરોવર યાત્રા વિષેની આ  ઉપયોગી માહિતી અકિલા દૈનિક તારીખ ૧૮ - ૦૬- ૨૦૧૬ ના રોજ પ્રસિદ્ધ થયેલ છે. જે નીચેની પી ડી એફ ફાઈલ દ્વારા ડાઉન લોડ કરી મેળવી શકાશે 


- અતુલ એન. ચોટાઈ  - (પત્રકાર અને લેખક)

Saturday, June 18, 2016

BSNL Student Plan Special Mobile Tariff Launched at 10ps call- inf. by - ASHOK HINDOCHA M-94262 54999

BSNL Student Plan Special Mobile Tariff Launched at 10ps call- inf. by ASHOK HINDOCHA M-94262 54999
Most eagerly waiting BSNL Student Plan SIM card released with best and cheapest voice call mobile tariff and Free 3G data never offered for student fraternity in Indian telecom market with any operator. With this happy news every student in entire India can have a chance to enjoy the exclusive BSNL Student Plan special mobile tariff under prepaid mobile services having longer validity. With this New Recharge Voucher, BSNL offers lowest mobile tariff at 10 paise per minute calling with out any special tariff voucher. In this New BSNL Student Plan SIM, Mobile users will get longer validity of One Year to avoid extension vouchers. BSNL Student Plan Sim card recharge plan now available only at Rupees.118 only by allowing Free 3G Data of 1GB with a special benefit of 10 Rupees full talk time, and every prepaid student customer who subscribes this plan shall automatically be allowed to enjoy the lowest call tariff of 10paise per minute calling to BSNL Network and 30ps per minute calling to other networks across India along with 15 Paisa per each 160 character SMS of Local / National(STD) numbers for first 60days there after on recharge with STV88. BSNL Student Plan Prepaid Mobile SIM Card In this new launch, Shri R.KMittal, Director (Consume Mobility) BSNL Board expressed that, the student segment is interested in cost effective BSNL 3G Data Plans and reduced voice call tariffs, therefore our PSU have designed this special plan exclusively for student customers to offer the best in Indian mobile market. This New BSNL Student Plan Sim Card will be provided for all New Mobile connections directly from BSNL or through Mobile Number Portability who joined BSNL from other networks on submission of relevant documents to avail the best mobile tariff as follows. BSNL Student Plan Special Prepaid Mobile Tariff Particulars Tariff SIM Cost BSNL Smart SIM Card = Rs.20, 256K = Rs.100 SIM Cost Plan Voucher Rs. 118 Main Account Validity One Year Free Data usage 1 GB 3G Data (to be consumed within 30 days from the date of activation) Special tariff Call rate in Home LSA for first 60 days 10 paise per minute for BSNL Network 30 paisa per minute for Other Network 15paise per SMS for Local / National SMS Special Benefit Free Top Up of Rs.10 along with New SIM Card having Full Talk Value All Other Terms As BSNL Per Minute Plan As we all know BSNL already extended the provision of Free National Roaming for all the mobile customers upto One Year from 15th June 2016, So with this New BSNL Student Plan Sim Card, every student will gets lowest mobile tariff at affordable price tag along with Free National Roaming for your Mobile for your stay at every where in India . So its now the time to hurry and grab the BSNL Student Plan SIM Card for your Mobile to enjoy the lowest mobile tariff for your needs which will be available for 90days only from 20th June 2016 on PAN India basis for new subscription as a promotional offer from BSNL. So students Join BSNL, Be with BSNL and enjoy your best mobile tairff on subscription with latest BSNL Student Plan. www.bsnlnewsbyashokhindocha.blogspot.com -94262 54999

Thursday, June 9, 2016

Jay Jalaram


Wednesday, June 8, 2016

રઘુવંશી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રોમાંચક તબક્કામાં: આજે કવાર્ટર ફાઇનલ જંગ કાલે સેમીફાઇનલ- શુક્રવારે ફાઇનલ મેચ સાથે રંગારંગ સમારોહ information by Ashok Hindocha M-94262 54999 courtesy www.akilanews.com

રઘુવંશી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રોમાંચક તબક્કામાં: આજે કવાર્ટર ફાઇનલ જંગ
કાલે સેમીફાઇનલ- શુક્રવારે ફાઇનલ મેચ સાથે રંગારંગ સમારોહ
information by Ashok Hindocha M-94262 54999
courtesy  www.akilanews.com
રઘુવંશી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રોમાંચક તબક્કામાં: આજે કવાર્ટર ફાઇનલ જંગ
   રાજકોટ,તા.૮: રાજકોટ લોહાણા મહાજન  તથા પોલિસ સુરક્ષા સેતુના ઉપક્રમે આયોજીત શાસ્ત્રી મેદાન ખાતેઓપન ગુજરાત- રઘુવંશી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રોમાંચક તબક્કામાં પહોંચી ગયેલ છે. આજે રાતે વિવિધ ટીમો વચ્ચે કવાર્ટર ફાઇનલો- જંગ જામશે જેમાં પ્રથમમેચ ભુજ ઇલેવન સામે હળવદ ઇલેવન,  દ્વિતીયમેચ- રઘુવીર ઇલેવન સામે સી.એ. ઇલેવન તથા ત્રીજો મેચ રાષ્ટ્રીય શાળા ઇલેવન સામે રઘુવંશી રોક ઇલેવન મોરબી તથા ચોથોમેચ શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટ સામે રઘુવંશી સ્ટ્રાઇકર્સ ઇલેવન વચ્ચે ટક્કર થશે.
   ગઇકાલે સદ્દગુરૂ સનરાઇઝ રાજકોટ સામે રઘુવંશી સ્ટ્રાઇક- રાજકોટની ટીમ વિજેતા થયેલ, જ્યારે બીજામેચમાં સદ્દગુરૂ ગોંડલની સામે રઘુવંશી રોકસ્ટાર મોરબીની ટીમ વિજેતા થયેલ. રઘુવંશી લાયન્સ વેરાવળ સામે રાષ્ટ્રીય શાળા ઇલેવન- વિજેતા બનેલ. રાષ્ટ્રીય શાળા ઇલેવનના ૧૦૪ રન થતા એક હજારનું રોકડ ઇનામ દાતા પરિવાર દ્વારા આપવામાં આવેલ. વિરદાદા જશરાજ ઇલેવન દ્વારકા સામે- રઘુવીર ઇલેવન- રાજકોટ વિજેતા થયેલ. ગઇકાલે મહાજન 'ઉપપ્રમુખ' જનકભાઇ કોટકના જન્મદિવસ અનુસંધાને અભિનંદન પાઠવાયા હતાં.
   આવતીકાલે 'ગુરૂવારે' સેમીફાઇનલ મેચનો જંગ જામશે તથા તેજ દિવસે એક ફ્રેન્ડલીમેચ- પ્રેસ ઇલેવન, મીડીયા કમીટી મેમ્બર્સ તથા આયોજક કમીટી મેમ્બર્સ વચ્ચે યોજાશે. જ્યારે શુક્રવારે ફાઇનલ મેચનો જંગ જામશે. ફાઇનલ મેચના દિવસે આતસબાઝી રંગારગ કાર્યક્રમ તથા રાજ્ય તથા રાષ્ટ્રકક્ષાએ રમતગમતમાં જેઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે. તે તમામ રઘુવંશી રમતવીરોનું સન્માન કરવામાં આવશે. દરરોજ સાંજે ૭થી રાત્રીના ૧૨ સુધી યોજાતા રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટમાં મિત્રો પરિવાર સાથે ઉપસ્થિત રહેવા રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન બકુલભાઇ નથવાણી, વીણાબેન પાંધી, જનકભાઇ કોટક, ચંદ્રકાંતભાઇ તન્ના, અશોકભાઇ કુંડલીયા, ડો.વી.એસ. ચંદારાણા, રીટાબેન કોટક, શૈલેષભાઇ ગણાત્રા, સંજયભાઇ કક્કડ, છબીલભાઇ નથવાણી, મીતલભાઇ ખેતાણી, યોગેશભાઇ જસાણી, અશોકભાઇ હિન્ડોચા, ભુપેન્દ્રભાઇ કોટક, સુરેશભાઇ કાથરાણી, વિ.એ આમંત્રણ પાઠવ્યું છે.
   સમગ્ર આયોજન માટે રાજકોટ લોહાણા મહાજનની ર્સ્પોસ્ટ કમીટીના ચેરમેન પિયુષભાઇ કુંડલીયા, યુવા કમીટીના ચેરમેન કલ્પેશભાઇ બગડાઇ, કૌશિકભાઇ અઢીયા, ઇન્દ્રેશભાઇ ગોકાણી, મયંક પાઉ, મેહુલ નથવાણી, પરેશભાઇ તન્ના, ધવલભાઇ કક્કડ, જીમ્મીભાઇ દક્ષિણી, પ્રકાશભાઇ છત્રા, મોહીત રાજાણી, કૃણાલભાઇ છત્રા, મનીષાબેન કુંડલીયા, સ્મીતાબેન સેજપાલ, ધારાબેન પોપટ, જોલીભાઇ જોબનપુત્રા, નંદિતાબેન અઢીયા, જય ઘેલાણી, હિતેશભાઇ પોપટ કાર્યરત છે.
   ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે રંજનબેન પોપટ, શ્રી નવીનભાઇ કક્કડ, મનુભાઇ કોટક, મનુભાઇ ઠક્કર, બકુલભાઇ નથવાણી, પરેશભાઇ ચગ, પ્રદિપભાઇ સચદે, રમણભાઇ કોટક, ડો. પ્રશાંતભાઇ તન્ના, કિરીટભાઇ કેશરીયા, વિનોદભાઇ પોપટ, મીતરાચ્છ, ધ્રુમિલ જસાણી, દિપકભાઇ ચાંદ્રાણી, અશ્વીનભાઇ બગડાઇ, સ્મીતાબેન ગણાત્રા, નીતીનભાઇ નથવાણી, અનિલભાઇ રાજદેવ, રમેશભાઇ ઠક્કર, હસુભાઇ ભગદેવ, નીતીનભાઇ રાયચુરા દ્વારા અભિનંદન પાઠવાયા છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)
 (04:26 pm IST)
 
Share This News
Facebook
Twitter
Share on Google+
Blogger
 
Follow Akilanews.com
Facebook
Twitter
YouTube
RSS
 

Tuesday, June 7, 2016

ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામતી રસાકસી : શુક્રવારે ફાઇનલ-inf. by Ashok Hindocha M-94262 54999

ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામતી રસાકસી : શુક્રવારે ફાઇનલ
information by Ashok Hindocha M-94262 54999- courtesy  AKILA PARIWAR
www.akilanews.com
ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામતી રસાકસી : શુક્રવારે ફાઇનલ
   રાજકોટ : લોહાણા મહાજન આયોજીત ઓપન ગુજરાત રઘુવંશી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૩૨ ટીમોએ ઉત્સાહભેર ભાગ લઇ રહી છે. દરરોજ ચાર મેચો રમાડવામાં આવી રહ્યા છે. જેમાં વીનર ટીમને ઇનામ, મેન ઓફ ધી મેચ, વ્યકિતગત મીક્ષરના ઇનામો, હાઇએસ્ટ સ્કોરના ઇનામો અપાય રહ્યા છે. દરમિયાન રઘુવંશી સમાજના તમામ ખેલાડીઓ કે જેઓએ રાજય કક્ષાએ કે રાષ્ટ્ર કક્ષાએ રમત ગમતમાં પોતાનું યોગદાન આપેલ હોય અને ઇનામો મેળવેલ હોય તેઓનું રાજકોટ લોહાણા મહાજનવતી વિશિષ્ટ સન્માન કાર્યક્રમ તા. ૧૦ ના ફાઇનલ મેચના દિવસે યોજવામાં આવેલ છે. સંબંધિત ખેલાડી ભાઇ બહેનોએ એવોર્ડ કમીટીના મનુભાઇ ઠકકર (મો.૯૮૨૫૨ ૧૦૩૧૯ નો સંપર્ક કરવા જણાવાયુ છે. ક્રિકેટ મેચમાં ખેલાડીઓ જબરો ઉત્સાહ બતાવી રહ્યા છે. કચ્છની બાપા દયાળુની ક્રિકેટ ઇલેવને અત્યાર સુધીમાં શ્રેષ્ઠ દેખાવ કરી એક ઓવરમાં ૪૪ રન કરી સતત ૭ સીક્ષર જીકી ચિંતન ઠકકરે નવો કીર્તીમાન પ્રસ્થાપિત કરેલ. અત્યાર સુધીમાં ૧૨ ઓવરમાં ૧૩૯ રન કરી નવો રેકોર્ડ નોંધાવેલ. ચિંતન ઠકકર અને કચ્છની ટીમના કેપ્ટનનું વિશિષ્ટ અભિવાદન કરવામાં આવેલ. ગઇકાલના ચાર મેચોમાં બાબરા ઇલેવન (સૌરાષ્ટ્ર) એ પોરબંદર ઇલેવન સામે વિજેતા બનેલ. બીજા મેચમાં ક્રિષ્ના ઇલેવન ગોંડલ સામે રાજકોટ રઘુવીર ઇલેવને વિજય મેળવ્યો હતો. ત્રીજા મેચમાં ઓખા ઇલેવનને હરાવી સી.એ. ઇલેવન વિજેતા બનેલ. જયારે ચોથા મેચમાં સોરાષ્ટ્ર ઇલેવન (બાબરા)ને હરાવી સી.એ. ઇલેવન વિજેતા બનેલ. મેન ઓફ ધ મેચ અમીત કોટક બનેલ. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મહાનજ પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબને નથવાણી, વીણાબેન પાંધી, જનકભાઇ કોટક, ચંદ્રકાંતભાઇ તન્ના, અશોકભાઇ કુંડલીયા, ડો. વી. એસ. ચંદારાણા, રીટાબેન કોટક, શૈલેષભાઇ ગણાત્રા, સંજયભાઇ કકકડ, છબીલભાઇ નથવાણી, મીતલબેન ખેતાણી, યોગેશભાઇ જસાણી, અશોકભાઇ હિન્ડોચા, સુરેશભાઇ કાથરાણી, ભુપેન્દ્રભાઇ કોટક, પિયુષભાઇ કુંડલીયા, કલ્પેશભાઇ બગડાઇ, રંજનબેન પોપટ, કૌશિકભાઇ અઢીયા, નવીનભાઇ ઠકકર, મનુભાઇ ઠકકર, મનીષભાઇ સોનપાલ, મનુભાઇ કોટક, પ્રમોદભાઇ રૂપારેલીયા (બાબરા), બકુલભાઇ નથવાણી, પ્રદિપભાઇ સચદે, અશોકભાઇ નથવાણી, રમણભાઇ કોટક, મયંકભાઇ પાંઉ, મેહુલભાઇ નથવાણી, અશ્વિનભાઇ બગડાઇ, નીતીનભાઇ નથવાણી, મનોજભાઇ નથવાણી, દર્શિત કારીયા, સુધીર શીંગાળા, કલ્પેશભાઇ તન્ના, જય ઘેલાણી, ઇન્દ્રેશ ગોકાણી (કોમેન્ટ્રેટર), દિપલ ઠકકર, દિપ્તીબેન કકકડ, અંજનાબેન હિન્ડોચા, અલ્કાબેન ખગ્રામ, નિયતીબેન નથવાણી, પ્રિયાંશુ નથવાણી,  લીનાબેન મશરૂ, પરેશભાઇ મજીઠીયા, બિંદીયાબેન અમલાણી, હિતેશભાઇ પોપટ, ધવલભાઇ કકકડ, પરેશ તન્ના, પ્રમયભાઇ છત્રા, મનીષાબેન કુંડલીયા, મોહીત અજાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
 (04:00 pm IST)
 www.rajkotlohanamahajan.blogspot.com
Share This News
Facebook
Twitter
Share on Google+
Blogger
 

www.ashokhindocha.blogspot.com M-9426254999-INVITATION by LOHANA YUVAK PRAGATI MANDAL RAJKOT


www.ashokhindocha.blogspot.com M-9426254999-INVITATION  by LOHANA YUVAK PRAGATI MANDAL RAJKOT

Wednesday, June 1, 2016

કાલથી ઓપન ગુજરાત રઘુવંશી નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટઃ આજે સાંજે ફ્રેન્ડલી મેચ રાજકોટ લોહાણા મહાજન દ્વારા શાસ્ત્રી મેદાન ખાતે રઘુવંશીઓ માટે આયોજનઃ ૩૨ ટીમો વચ્ચે સટાસટીના જંગઃ દરરોજ ચાર ટીમો વચ્ચે મેચ રમાશે કાલથી ઓપન ગુજરાત રઘુવંશી નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટઃ આજે સાંજે ફ્રેન્ડલી મેચ-inf. by Ashok Hindocha M-94262 54999


કાલથી ઓપન ગુજરાત રઘુવંશી નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટઃ આજે સાંજે ફ્રેન્ડલી મેચ રાજકોટ લોહાણા મહાજન દ્વારા શાસ્ત્રી મેદાન ખાતે રઘુવંશીઓ માટે આયોજનઃ ૩૨ ટીમો વચ્ચે સટાસટીના જંગઃ દરરોજ ચાર ટીમો વચ્ચે મેચ રમાશે કાલથી ઓપન ગુજરાત રઘુવંશી નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટઃ આજે સાંજે ફ્રેન્ડલી મેચ રાજકોટ,તા.૧: રાજકોટ લોહાણા મહાજન 'રમત-ગમત કમીટી' - રઘુવંશીઓની તમામ અલગ સંસ્થાઓ તથા મહાજન વિવિધ કમીટીઓના સથવારે ઓપન ગુજરાત- રઘુવંશી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૧૬નું તા.૧થી૧૦ જુન દરમ્યાન શાસ્ત્રીમેદાન (અનિલ પેવેલીયન) ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૩૨ જેટલી ટીમો ભાગ લઇ રહેલ છે. ૧૨ ઓવરના મેચ દરરોજ સાંજે ૭થી રાત્રીના ૧૨ રદમ્યાન યોજાશે. દરરોજ ચાર ટીમો મેચો ખેલશે. ઓપન રઘુવંશી- ગુજરાત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટને આખરી ઓપ આપવા માટે અનિલ પેયેલીયન શાસ્ત્રી મેદાન ખાતે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણીના માર્ગદર્શન હેઠળ તમામ હોદેદારો સર્વેશ્રી શૈલેષભાઇ ગણાત્રા- રીટાબેન કોટક સંજયભાઇ કક્કડ, યોગેશભાઇ જસાણી, ભુપેન્દ્રભાઇ કોટક, અશોકભાઇ હિન્ડોચા, રમતગમત સમિતિના ચેરમેન શ્રી પિયુષભાઇ કુંડલીયા 'યુવા સમિતીના ચેરમેન' શ્રી કલ્પેશ બગડાઇ તથા ટીમ મેમ્બર્સ શ્રી ઇન્દ્રેશભાઇ ગોકાણી (કોમેન્ટ્રેટર) ધવલભાઇ કક્કડ મયંકભાઇ પાઉ, જય ઘેલાણી, હેત તન્ના, મનીષાબેન કુંડલીયા, પ્રમેયભાઇ છત્રા, સ્મીતાબેન સેજપાલ, 'સાંસ્કૃતિ કમીટીના ચેરમેન' શ્રી યોગેશભાઇ પુજારા તથા રઘુવંશી અગ્રણીઓ સર્વશ્રી બકુલભાઇ નથવાણી, પરેશભાઇ ચગ, શ્રી મનુભાઇ ઠક્કર (રાજકોટ ગૌરવ પરિવાર), શ્રી પ્રદિપભાઇ સચદે, શ્રી કિરીટભાઇ કેશરીયા, શ્રી મેહુલભાઇ નથવાણી, હરેશભાઇ બોરીયા, મીત રાચ્છ, સુરેશભાઇ સાપાણી, અશોકભાઇ પોપટ, ભદ્રેશભાઇ રાયઠઠ્ઠા, ચંદુભા કાછેલા, જસ્મીન જોબનપુત્રા, કિરીટભાઇ રાજાણી, પ્રમોદભાઇ છત્રા પાર્થ હિન્ડોચા સહિતનાએ ઉપસ્થિત રહી ચર્ચા- વિચારણા કરી હતી. દરમિયાન આજે બુધવારે રાત્રે ૯ કલાકે અનિલ પેરેલીયન ખાતે પ્રથમ ફ્રેન્ડલી મેચ યોજાશે. જેમાં તમામ રઘુવંશીઓ- ભાઇઓ -બહેનોએ સહપરીવાર અમંત્રણ અપાયું છે. આવતીકાલ તા.૨ના ગુરૂવારથી દરરોજ સાંજે ૭થી રાત્રીના ૧૨ દરમ્યાન દરરોજના ૪ મેચો ડ્રો મુજબ યોજવામાં આવશે. તમામ ટીમના કેપ્ટનો તથા ખેલાડીઓએ તા.૨ના રોજ સાંજે ૬:૩૦ કલાકે ગ્રાઉન્ડ પર ખેલાડીઓના નામ આઇડી પ્રફુ સાથે નક્કી કરેલા 'ડ્રેસ કોડ' સાથે સમયસર ઉપસ્થિત રહેવા શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી દ્વારા જણાવાયું છે. વધુ વિગત માટે રમતગમત કમીટીના ચેરમેન પિયુષભાઇ કુંડલીયા તથા સભ્યોનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. (04:18 pm IST) Share This News Facebook Twitter Share on Google+ Blogger

LOHANA MAHAPARISHAD Scholarship Form 2016 -inf. by Ashok Hindocha M-94262 54999


LOHANA MAHAPARISHAD Scholarship Form 2016 -inf. by Ashok Hindocha M-94262 54999